બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / temple is ready in this muslim country pm modi will inaugurate on 14 february 2024

WORLD / રામ મંદિર બાદ વધુ એક હિન્દુ મંદિર બનીને તૈયાર, PM મોદીના હસ્તે થશે ઉદ્ઘાટન, જાણો ક્યાં અને ક્યારે

Manisha Jogi

Last Updated: 01:01 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં 500 વર્ષ પછી રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. આગામી મહિને વધુ એક ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

  • 500 વર્ષ પછી રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન
  • આગામી મહિને વધુ એક ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન  થશે
  • PM મોદીના હસ્તે થશે ઉદ્ઘાટન

અયોધ્યામાં 500 વર્ષ પછી રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. આગામી મહિને વધુ એક ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન  થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન  કરશે. મુસ્લિમ દેશ UAEના અબુધાબીમાં ભવ્ય સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ થયું છે, જેનું ઉદ્ઘાટન  કરવામાં આવશે. ભારતમાં UAEના રાજદૂત અબ્દુલ નાસિર અલશાલીએ જણાવ્યું છે કે, જે દિવસે મંદિરનું ઉદ્ઘાટન  કરવામાં આવશે તે દિવસ સહિષ્ણુતા અને સ્વીકૃતિની ઊજવણી કરવા માટે ખૂબ જ ખાસ હશે. 

PM મોદી કરશે ઉદ્ઘાટન 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન  કરશે. ગત મહિને BAPS હિંદુ મંદિર તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ આમંત્રણ સ્વીકારવામાં આવ્યું છે. 

ઉદ્ઘાટન  પહેલા પ્રવાસી સભા
UAEના રાજદૂતે જણાવ્યું કે, 13 ફેબ્રુઆરીના રોજ શેખ જાયદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ભવ્ય પ્રવાસી સભા થશે. વર્ષ 2020ના એક રિપોર્ટ અનુસાર UAEમાં સૌથી વધુ ભારતીય પ્રવાસીઓ રહે છે. આ પ્રવાસીઓની સંખ્યા 35 લાક છે. 

UAEમાં પ્રથમ હિંદુ મંદિર
UAEની રાજધાની અબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિર તૈયાર થઈ ગયું છે. BAPS અબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિર બનાવનાર સંસ્થા બની ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્ઘાટન  સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણ સ્વીકારી લેવામાં આવ્યું છે. 

વધુ વાંચો: FACT Check: તલવાર બાજી કરનારી આ મહિલા રાજસ્થાનની ડેપ્યુ. CM દિયાકુમારી નથી, તો કોણ છે?

20 હજાર વર્ગમીટરમાં મંદિરનું નિર્માણ
આ મંદિરનું નિર્માણ 20,000 વર્ગમીટર જમીન પર બનાવવામાં આવ્યું છે. આ મંદિર અત્યાધુનિક શૈલી અનુસાર તૈયાર કરવામાં આવ્ છે. પ્રાચીન અને પાશ્ચાત્ય આર્કિટેક્ચરથી મંદિરમાં નક્કાશી કરવામાં આવી છે. આ મંદિરને શાહી અને પારંપરિક રૂપે નક્કાશી કરવામાં આવેલ પત્થરથી બનાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. ઉદ્ઘાટન  માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ