બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / temple is ready in this muslim country pm modi will inaugurate on 14 february 2024

WORLD / રામ મંદિર બાદ વધુ એક હિન્દુ મંદિર બનીને તૈયાર, PM મોદીના હસ્તે થશે ઉદ્ઘાટન, જાણો ક્યાં અને ક્યારે

Vikram Mehta

Last Updated: 01:01 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં 500 વર્ષ પછી રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. આગામી મહિને વધુ એક ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

  • 500 વર્ષ પછી રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન
  • આગામી મહિને વધુ એક ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન  થશે
  • PM મોદીના હસ્તે થશે ઉદ્ઘાટન

અયોધ્યામાં 500 વર્ષ પછી રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. આગામી મહિને વધુ એક ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન  થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન  કરશે. મુસ્લિમ દેશ UAEના અબુધાબીમાં ભવ્ય સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ થયું છે, જેનું ઉદ્ઘાટન  કરવામાં આવશે. ભારતમાં UAEના રાજદૂત અબ્દુલ નાસિર અલશાલીએ જણાવ્યું છે કે, જે દિવસે મંદિરનું ઉદ્ઘાટન  કરવામાં આવશે તે દિવસ સહિષ્ણુતા અને સ્વીકૃતિની ઊજવણી કરવા માટે ખૂબ જ ખાસ હશે. 

PM મોદી કરશે ઉદ્ઘાટન 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન  કરશે. ગત મહિને BAPS હિંદુ મંદિર તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ આમંત્રણ સ્વીકારવામાં આવ્યું છે. 

ઉદ્ઘાટન  પહેલા પ્રવાસી સભા
UAEના રાજદૂતે જણાવ્યું કે, 13 ફેબ્રુઆરીના રોજ શેખ જાયદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ભવ્ય પ્રવાસી સભા થશે. વર્ષ 2020ના એક રિપોર્ટ અનુસાર UAEમાં સૌથી વધુ ભારતીય પ્રવાસીઓ રહે છે. આ પ્રવાસીઓની સંખ્યા 35 લાક છે. 

UAEમાં પ્રથમ હિંદુ મંદિર
UAEની રાજધાની અબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિર તૈયાર થઈ ગયું છે. BAPS અબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિર બનાવનાર સંસ્થા બની ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્ઘાટન  સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણ સ્વીકારી લેવામાં આવ્યું છે. 

વધુ વાંચો: FACT Check: તલવાર બાજી કરનારી આ મહિલા રાજસ્થાનની ડેપ્યુ. CM દિયાકુમારી નથી, તો કોણ છે?

20 હજાર વર્ગમીટરમાં મંદિરનું નિર્માણ
આ મંદિરનું નિર્માણ 20,000 વર્ગમીટર જમીન પર બનાવવામાં આવ્યું છે. આ મંદિર અત્યાધુનિક શૈલી અનુસાર તૈયાર કરવામાં આવ્ છે. પ્રાચીન અને પાશ્ચાત્ય આર્કિટેક્ચરથી મંદિરમાં નક્કાશી કરવામાં આવી છે. આ મંદિરને શાહી અને પારંપરિક રૂપે નક્કાશી કરવામાં આવેલ પત્થરથી બનાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. ઉદ્ઘાટન  માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BAPS UAE BAPS મંદિર Hindu Temple in UAE PM modi UAE Hindu Mandir UAE હિંદુ મંદિર muslim country Hindu Temple World
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ