બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Svaji Dholkiya's statement
તેની ચોખવટ કરવાં કરતાં સરકાર, સિસ્ટમ અને સૂકી નર્મદા નદી બાબતે ઉકળી ઉઠ્યા હતા અને તેમ જ્યારે સમગ્ર મામલે વિટીવીની ટિમ તેમની પ્રતિક્રિયા લેવા પહોંચી ત્યારે કેમેરા સમક્ષ અકળાઈને "દાનવીર" સવજી ધોળકીયાએ પોતાની અને સરકારની કામગીરી વચ્ચે તફાવત છે અને પોતે લોકોને રોજીરોટી આપી તેવી પ્રતિક્રિયા આપી હતી.
ADVERTISEMENT
સવજી ધોળકિયાનું નિવેદન
સવજી ધોળકિયાએ VTV સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું તે સ્થળે છેલ્લા દશ વર્ષથી કામ કરી રહ્યો છું અને છેલ્લા ચાર વર્ષથી તો નદીમાં પાણી આવ્યું જ નથી જેથી કરીને નર્મદા નદી રેતીથી ધીમે-ધીમે બુરાતી જાય છે. દરિયાનું પાણી રેતી લઇને આવે છે. નર્મદા નદીનો આશરે 100 કિલોમીટરનો એરિયા ખારો થઇ રહ્યો છે.
ADVERTISEMENT
અમારે ત્યાં પાણીમાં ખારાશ છે. બહું ઉંડેથી બોર કરીએ ત્યારે મીઠું પાણી આવે છે. નર્મદાના કાંઠાના વિસ્તારના લોકોને ખબર જ નથી કે કેટલું મોટું નુકસાન આપણને થઇ રહ્યું છે. જ્યાં સુધી ભાડભૂતનો બંધ નહીં બને ત્યાં સુધી નુકસાની વેઠવાનો વારો આવશે. આ તો મારું નામ છે તેથી ઇશ્યુ ઉભો થયો છે અને એટલે જ મુદ્દો ઉછળ્યો છે.
ADVERTISEMENT
પાળા તુટતા આવી પ્રતિક્રિયા
આપને જણાવી દઇએ કે, પોતાનાં ફાર્મમાં જવા માટે નજીકના રસ્તેથી જવાય તેથી નર્મદા નદીમાં પોતાની મનસુબીથી "પાળા" બનાવડાવી ને કામ શરૂ કરાવ્યા બાદ મીડિયામાં અહેવાલ પ્રસારિત થતાં તંત્રએ પાળા તોડવાની કામગીરી શરૂ કરાવી દીધી હતી.

ADVERTISEMENT
જેને લઈને એક ઉદ્યોગપતિ સાથે સાથે પોતાનાં કર્મચારીઓને વાર્ષિક લાભો આપતા હોય તેવી મીડિયા સ્ટોરીઓ બાદ "દાનવીર" બનેલાં સવજી ધોળકિયા "પાળા" મામલે પોતે જવાબદાર સામાજિક વ્યક્તિ તરીકે ભૂલ કરી બેઠા હોય તેવું માન્યા વગર જાણે સરકારે છેલ્લા દસ વર્ષમાં નર્મદા નદીને જાણે સૂકી ભંઠ કરી નાખી હોય તેમ સરકાર ઉપર આડકતરી રીતે આક્રોશ ઠાલવ્યો હતો.
તેમજ પોતાનાં પ્રોજેકટને કારણે નર્મદા નદી અને પર્યાવરણ ને ક્યારેય કોઈ નુકશાન થયું નથી અને થવાનું પણ નથી તેમ કહી પોતે નર્મદા નદીમાં ચાલવાનો રસ્તો બનાવવા પાળા બનાવેલ તેનું કોઈ દુઃખ કે લાગણી વ્યક્ત કરી નહોતી....!!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.