બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Arohi
Last Updated: 04:53 PM, 16 September 2023
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને નવગ્રહોના રાજા કહેવામાં આવે છે. તે આત્મા, પિતા, સરકાર, શક્તિ અને અધિકારના કારક માનવામાં આવે છે. કુંડળીમાં સૂર્યની મજબૂત સ્થિતિ મનુષ્યને સન્માન અને સફળતા આપે છે.
સૂર્ય મહારાજને એક રાશિથી બીજી રાશિમાં પરિવર્તન કરવામાં એક મહિનાનો સમય લાગે છે. સૂર્ય 17 સપ્ટેમ્બરે 2023 સવારે 7.11 વાગ્યે કન્યા રાશિમાં ગોચર કરશે. સૂર્યનું આ ગોચર અમુક રાશિ માટે સારી નહીં રહે. જાણો તે રાશિઓ કઈ છે.
તુલા
સૂર્યનું ગોચર તુલા રાશિના લોકો માટે સારૂ નહીં રહે. આ રાશિના જાતકોને રૂપિયા પૈસા સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સૂર્યનું ગોચર તમારા માટે નકારાત્મક પરિણામ લાવશે.
આ સમયે તમારૂ ધન ક્યાંક ફસાઈ શકે છે. રોકાણમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. આ રાશિના લોકો કોઈ બિઝનેસ સાથે જોડાયા હશે તો તેમાં પણ નુકસાન ઉઠાવવું પડી શકે છે. ઘરમાં સદસ્યોની સાથે માનસિક તણાવ આવી શકે છે.
કુંભ
આ રાશિના સ્વામી શનિ છે અને પોતાના પિતા સૂર્ય દેવની સાથે તેમના સંબંધ સારા નથી માનવામાં આવતા. સૂર્યના રાશિ પરિવર્તનથી કુંભ રાશિના લોકોને નકારાત્મક પરિણામ મળી શકે છે. કુંભ રાશિ માટે આ ગોચર શુભ નહીં રહે.
આ ગોચરમાં તમારા દ્વારા લેવામાં આવેલા બધા જ નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે. ઘરમાં ભાઈ-બહેનોની સાથે તમને મતભેદ થઈ શકે છે. સૂર્યનો નકારાત્મક પ્રભાવ પડવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે.
મીન
સૂર્ય ગોચર મીન રાશિના લોકોના પારિવારિક જીવન પર વિપરીત પ્રભાવ કરે છે. જીવનસાથીની સાથે તમારો ગંભીર મતભેદ થઈ શકે છે. તમે આર્થિક તંગીથી પણ ઘેરાઈ શકો છો. આ ગોચર તમને શારીરિક અને માનસિક બન્ને પ્રકારની મુશ્કેલી આપી શકે છે.
તમારી તબિયત બગડી શકે છે. આ સમયે તમારી વાણી પણ કઠોર થઈ શકે છે જેના કારણે તમને નુકસાન ભોગવવું પડી શકે છે. ઓફિસમાં કામનું પ્રેશર વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો