બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Superstar actress caught making controversial statement on Kashmiri Pandits, case filed, find out the whole case
ADVERTISEMENT
સાઉથ એક્ટ્રેસ સાઇ પલ્લવી વિવાદોમાં ઘેરાઇ છે. સાઇ પલ્લવી તેની અપકમિંગ ફિલ્મ Virata Parvamને લઇને ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યૂ દરમિયાન સાઇ પલ્લવીએ કશ્મીરી પંડિતો વિશે કાંઇક એવુ કહ્યું જેનાથી સોશિયલ મીડિયા પર વિવાદ છેડાઇ ગયો છે.જો કે, સાઈ પલ્લવીના આ નિવેદન બાદ તેની સામે બજરંગ દળના નેતાઓએ અભિનેત્રી વિરુદ્ધ સુલ્તાન બજાર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે.

ADVERTISEMENT
પોલીસે કહ્યું વીડિયો જોયા બાદ તેના પર કાર્યવાહી કરાશે
આ મામલે પોલીસનું કહેવું છે કે તેઓ આ વીડિયો જોશે, ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે આ મામલે કાયદાકીય અભિપ્રાય પણ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સાઈ પલ્લવીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં બોલિવૂડ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને તેમની હત્યાના સીનને મોબ લિંચિંગ સાથે સરખાવ્યા હતા. એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સાઈ પલ્લવીએ કહ્યું હતું કે ન્યૂટ્રલ એનવાયરનમેન્ટમાં ઉછરી છું. મેં લેફ્ટ વિંગ અને રાઇટ વિંગ વિશે ઘણું સાંભળ્યું છે. પણ હું કહી શકતી નથી કે કોણ સાચું છે અને કોણ ખોટું.
ADVERTISEMENT
સાઈએ વધુમાં કહ્યું કે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી. થોડા સમય પહેલા ગાયને લઈને જઈ રહેલા એક મુસ્લિમ વ્યક્તિને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો અને તેને જય શ્રી રામ બોલવાનું કહેવામાં આવ્યું હતું. આ પણ ધર્મના નામે હિંસા છે. હવે આ બે ઘટનાઓમાં શું તફાવત છે? સાઈ પલ્લવીએ કહ્યું કે તેના પરિવારે તેને હંમેશા સારી વ્યક્તિ બનવાનું શીખવ્યું છે.
“For me violence is wrong form of communication. Mine is a neutral family where they only taught to be a good human being. The oppress, however, should be protected. I don’t know who’s right & who’s wrong. If you are a good human being, you don’t feel one is right.”
— Hate Detector 🔍 (@HateDetectors) June 14, 2022
- #SaiPallavi pic.twitter.com/o6eOuKvd2G
ADVERTISEMENT
સાઈ પલ્લવીના આ ઈન્ટરવ્યૂની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફેન્સ ભડક્યાં
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, સાઈ પલ્લવીના આ ઈન્ટરવ્યૂની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિનેત્રીના આ નિવેદનથી લોકોના બે ગ્રુપમાં બની ગયા છે. કેટલાક લોકો સાઈ પલ્લવીની વાત સાથે સહમત થઈ રહ્યા છે, તો ઘણા લોકો અભિનેત્રીના નિવેદનને વાહિયાત ગણાવીને તેના પર ભડકી ઉઠ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.