બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / Sudan crisis Prepare a plan to evacuate Indians from Sudan PM Modi directs at high-level meeting
Pravin Joshi
Last Updated: 06:36 PM, 21 April 2023
સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા ગૃહયુદ્ધને કારણે ત્યાંની સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. ત્યારે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં ફસાયેલા ભારતીયો માટે ચિંતા વ્યક્ત કરી છે અને સંબંધિત અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે તેમને બહાર કાઢવા માટે કહ્યું છે. આ માટે PM મોદીએ શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.
PM Modi instructs officials to continuously evaluate safety of Indians in Sudan
— ANI Digital (@ani_digital) April 21, 2023
Read @ANI Story | https://t.co/IfJVdaZDNr#PMOIndia #SudanClashes pic.twitter.com/ZhGuOxssFe
ભારતીય નાગરિકોની સુરક્ષાનું મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો
વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પીએમ મોદીએ સુદાનમાં સતર્ક રહેવા, ઘટનાક્રમ પર નજીકથી નજર રાખવા અને ભારતીય નાગરિકોની સુરક્ષાનું મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો છે. PMએ સુદાનમાંથી ભારતીયો માટે આકસ્મિક સ્થળાંતર યોજના તૈયાર કરવા અને સુરક્ષા અને વિકલ્પોની શક્યતાના આધારે ઝડપી ફેરફારોનો નિર્દેશ આપ્યો છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, વાયુસેના અને નૌકાદળના વડાઓ, વિદેશ અને સંરક્ષણ મંત્રાલયના ટોચના અધિકારીઓ ઉપરાંત વરિષ્ઠ રાજદ્વારીઓએ હાજરી આપી હતી. જયશંકર હાલ ગુયાનાના પ્રવાસે છે. જણાવી દઈએ કે હાલમાં 3000 થી વધુ ભારતીયો સુદાનમાં ફસાયેલા છે. રાજધાની ખાર્તુમમાં સંઘર્ષને કારણે તેમને બહાર કાઢવામાં મુશ્કેલીઓ આવી રહી છે.
PM Modi further directed the preparation of contingency evacuation plans, accounting for the rapidly shifting security landscape and the viability of various options. He also emphasized the importance of maintaining close communication with neighboring countries in the region, as…
— ANI (@ANI) April 21, 2023
સુદાનમાં એક ભારતીયનું મોત થયું હતું
સુદાનમાં 3,000 થી વધુ ભારતીયોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરીય બેઠકમાં પીએમને આ મામલે જમીની સ્થિતિ પર પ્રથમ અહેવાલ પણ આપવામાં આવ્યો હતો. સુદાનની રાજધાની ખાર્તુમ અને દેશના અન્ય ભાગોમાં હિંસામાં એક ભારતીય સહિત 300 થી વધુ લોકોના મોત થયા છે. ભારતે કહ્યું હતું કે સુદાનમાં પરિસ્થિતિ ખૂબ જ તંગ છે અને તે ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યુએસ, બ્રિટન, સાઉદી અરેબિયા અને ઇજિપ્ત સહિતના વિવિધ દેશો સાથે નજીકથી સંકલન કરી રહ્યું છે.
PM Modi expressed his condolences on the passing away of an Indian national who tragically fell victim to a stray bullet last week. He instructed all relevant officials to remain vigilant, closely monitoring developments and continuously evaluating the safety of Indian nationals…
— ANI (@ANI) April 21, 2023
ભારતીય દૂતાવાસ ભારતીય સમુદાયના સંપર્કમાં
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ નવી દિલ્હીમાં કહ્યું હતું કે ચાર-પાંચ દિવસ પછી પણ સંઘર્ષ યથાવત છે અને લડાઈ ચાલી રહી છે. આવી સ્થિતિમાં અમે ભારતીયોને વિનંતી કરીએ છીએ કે તેઓ જ્યાં છે ત્યાં જ રહે અને બહાર ન નિકળે. સુદાનમાં ભારતીય દૂતાવાસ ઔપચારિક, અનૌપચારિક ચેનલો દ્વારા ભારતીય સમુદાયના સંપર્કમાં છે. આ સંઘર્ષ દેશના લશ્કરી નેતૃત્વમાં સત્તા સંઘર્ષનું સીધું પરિણામ છે. આ હિંસા સુદાનની નિયમિત સેના અને દેશમાં 'રેપિડ સપોર્ટ ફોર્સિસ' (ASF) નામની અર્ધલશ્કરી દળ વચ્ચેના સંઘર્ષને કારણે થઈ છે.
PM Modi chairs high-level meeting to review security of Indians in Sudan; Jaishankar, Kwatra attend
— ANI Digital (@ani_digital) April 21, 2023
Read @ANI Story | https://t.co/JBaWZJuBNC#SudanConflict pic.twitter.com/ZK7mWaeEPZ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban