બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
Dinesh
Last Updated: 04:53 PM, 7 February 2023
આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં G20 સહિત વિવિધ મુ્દ્દાઓ પર ચર્ચાઓ થઈ છે. આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ટેકાના ભાવને લઈ કહ્યું હતું કે, ચણા, રાયડો, તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, G20ની કચ્છ ખાતે આજે વર્કિંગ કમિટિની બેઠક શરૂ થઈ રહી છે. સમગ્ર વિશ્વ વસુદેવ કુટુંબ કમની ભાવના સાથે એક થાય તેવા ઉદ્શ્ય સાથે આ બેઠક યોજાઈ રહી છે.
'10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે'
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું કે, ચણા, રાયડો, તુવરની ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહ્યાં છીએ, તેમણે ઉમેર્યું કે, જેનું 28 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન થશે તેમણે કહ્યું કે, 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.
વી.સી.ઇ.ના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે
ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા તા.28 ફેબ્રુઆરી- 2023 સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે વી.સી.ઇ.ના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.
અગાઉ ખરીફ સિઝનના પાકના ટેકાના ભાવમાં વધારો કરવા ભલામણ કરાઈ હતી
થોડા દિવસ અગાઉ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવ વધારા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ડાંગરમાં પ્રતિમણે 550 રૂપિયાના ભાવ કરવાની તેમજ બાજરીમાં પ્રતિમણે 640 રૂપિયાના ભાવની ભલામણ કરી હતી. જુવારમાં પ્રતિમણે 1 હજાર 80 રૂપિયાના ભાવની મકાઈમાં પ્રતિમણે 900 રૂપિયાના ભાવની ભલામણ કરી હતી જ્યારે તુવેરમાં પ્રતિમણે 1 હજાર 600 રૂપિયાના ભાવની તેમજ મગમાં પ્રતિમણે 1 હજાર 860 રૂપિયાના ભાવની ભલામણ કરી હતી. વધુમાં અડદમાં પ્રતિમણે 1 હજાર 760 રૂપિયાના ભાવની તેમજ મગફળીમાં પ્રતિમણે 1 હજાર 500 રૂપિયાના ભાવની ભલામણ કરી છે. તલમાં પ્રતિમણે 2 હજાર 106 રૂપિયા અને કપાસમાં 1 હજાર 780 રૂપિયાના ભાવની ભલામણ કરી હતી. ભારત સરકારના કૃષિ ખર્ચ અને ભાવ પંચને ભલામણો મોકલવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો