બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / special upay on friday to get rid of financial crisis

Money tips / પૈસાની આવક વધારવી છે? તો દર શુક્રવારે અવશ્ય કરવા જોઈએ આ ખાસ ઉપાય, આર્થિક તંગીમાંથી મળશે છૂટકારો

Manisha Jogi

Last Updated: 11:57 AM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘર અને પરિવારમાં સુખ, શાંતિ તથા ખુશી જળવાઈ રહે છે. માઁ લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે વિશેષ ઉપાય કરવામાં આવે છે. આ ઉપાય કરવાથી ધન સંબંધિત પરેશાની દૂર થાય છે.

  • સનાતન ધર્મમાં શુક્રવારનો દિવસ લક્ષ્મી માતાને સમર્પિત
  • માઁ લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે ઉપાય કરવામાં આવે છે
  • આ ઉપાય કરવાથી ધન સંબંધિત પરેશાની દૂર થાય છે

સનાતન ધર્મમાં શુક્રવારનો દિવસ લક્ષ્મી માતાને સમર્પિત છે, આ દિવસે માઁ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. સનાતન શાસ્ત્રમાં ચિર કાળમાં સમુદ્ર મંથન સમયે માઁ લક્ષ્મીની ઉત્પત્તિ થઈ છે. લક્ષ્મી માતાની પૂજા કરવાથી જીવનમાં કમામ પ્રકારની ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. ઘર અને પરિવારમાં સુખ, શાંતિ તથા ખુશી જળવાઈ રહે છે. માઁ લક્ષ્મીને પ્રસન્ન કરવા માચે શુક્રવારે વિશેષ ઉપાય કરવામાં આવે છે. આ ઉપાય કરવાથી ધન સંબંધિત પરેશાની દૂર થાય છે. તમે પણ આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગો છો, તો શુક્રવારે આ ઉપાય જરૂરથી કરવા જોઈએ. 

શુક્રવાર ઉપાય

  • શુક્રવારના દિવસે માઁ દુર્ગાની પૂજા કરવાથી મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. ઘનલક્ષ્મીને પ્રસન્નન કરવા માટે શુક્રવારે સવારે સ્નાન ધ્યાન કર્યા પછી વિધિ વિધાન સાથે પૂજા કરવી. લક્ષ્મીદેવીને સોળ શ્રૃંગાર, ગુલાબ અને કમળના ફૂલ અર્પણ કરો. આ ઉપાય કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. 
  • લક્ષ્મીદેવીની કૃપા મેળવવા માટે શુક્રવારે લક્ષ્મીનારાયણ મંદિરે જઈને એકાક્ષી નારિયેળ અર્પણ કરો. આ ઉપાય કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી તમામ પરેશાની દૂર થાય છે. 
  • લક્ષ્મીદેવીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે સ્નાન ધ્યાન કરીને લાલ રંગના કપડાં પહેરો. હવે વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરો, પૂજા સમયે લક્ષ્મી નારાયણજીને ખીર અર્પણ કરો. 
  • આર્થિક તંગી દૂર કરવા માટે શુક્રવારે પૂજા કર્યા પછી પર્સમાં એક તજપત્તુ રાખો. હવે લક્ષ્મીદેવીને પ્રણામ કરીને ધન, ઐશ્વર્ય, આવક અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય તેવી કામના કરો. 
  • કુંડળીમાં અશુભ ગ્રહની અસરને કારણે અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. આ કારણોસર શુક્રવારે ગંગાજળમાં કાળા તલ મિશ્ર કરીને ભગવાન શિવનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી અશુભ અસર દૂર થાય છે અને મહાદેવની કૃપાથી આવક તથા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ