બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Manisha Jogi
Last Updated: 12:35 PM, 17 July 2023
હિંદુ ધર્મમાં અમાસનું વિશેષ મહત્ત્વ છે. આજે સોમવતી અમાસ છે. ધાર્મિક માન્યતા અનુસાર સોમવતી અમાસના દિવસે સ્નાન-દાન અને પૂજા પાઠ કરવાથી સાધકની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ વર્ષે સોમવતી અમાસના ત્રણ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. સોમવતી અમાસના દિવસે આ ત્રણ કામ કરવાથી રાહુ ગ્રહ પરેશાન કરતો નથી.
રાહુ સ્તોત્રના પાઠ
સોમવતી અમાસના દિવસે રાહિ સ્તોત્રના પાઠ કરવા જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર સોમવતી અમાસના દિવસે રાહુ ખૂબ જ હાવી હોય છે. જેથી આ સ્તોત્રના પાઠ કરવાથી ખરાબ અસર નિયંત્રણમાં રહે છે, રાહુ દોષથી મુક્તિ મળે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
પીપળાના ઝાડ પાસે દીવો કરો
સોમવતી અમાસના દિવસે પીપળાના ઝાડ પાસે સરસિયાના તેલનો દીવો કરો. દીવામાં લવિંગ હોવું જરૂરી છે. આ પ્રકારે કરવાથી રાહુ દોષ ઓછો થાય છે.
શ્વાનને રોટલી ખવડાવો
સોમવતી અમાસના દિવસે શ્વાનને રોટલી જરૂરથી ખવડાવવી જોઈએ. આ દિવસે કાળ શ્વાનને રોટલી ખવડાવવાથી બિમારી દૂર થાય છે. આ ઉપાય કરવાથી રાહુ શાંત થાય છે અને શુભ અસર થાય છે.
શુભ સંયોગનું નિર્માણ
પંચાંગ અનુસાર સોમવતી અમાસના દિવસે હર્ષણ યોગ, પુનર્વસુ નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આજે સવારે 07: 58 વાગ્યે હર્ષણ યોગ શરૂ થઈ ગયો છે અને આખો દિવસ પુનર્વસુ નક્ષત્ર રહેશે. સર્વાર્થ સિદ્ધિ યોગનું પણ નિર્માણ થશે. શ્રાવણ મહિનાના બીજા સોમવારે વ્રત કરવામાં આવશે. આ શુભ યોગમાં ભગવાન શિવની ઉપાસના કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો