બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / somvati amavasya upay should do to get blessings significance date time in gujarati

Somvati Amavasya / આવતીકાલે સોમવતી અમાસ: ભોલેનાથના ભક્તોએ અવશ્ય કરવા જોઈએ આ 4 કામ, જીવનમાંથી દૂર થઈ જશે તમામ કષ્ટ

Manisha Jogi

Last Updated: 01:51 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માનવામાં આવે છે કે, જે ભક્તો સાચા મને ભગવાન શિવની આરાધના કરે છે, તેમના પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે.

  • સોમવતી અમાસનું વિશેષ
  • આ વર્ષે 17 જુલાઈના રોજ સોમવતી અમાસ
  • સુહાગણો સોમવતી અમાસનું વ્રત કરે છે

હિંદુ ધર્મમાં અમાસનું ખાસ મહત્ત્વ છે. સોમવારના દિવસે જે અમાસ આવે તેને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. સોમવતી અમાસનું વિશેષ મહત્ત્વ છે. મહાદેવને સમર્પિત શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અમાસની તિથિએ સોમવતી અમાસનું વ્રત રાખવામાં આવશે. આ વર્ષે 17 જુલાઈના રોજ સોમવતી અમાસ છે. માનવામાં આવે છે કે, જે ભક્તો સાચા મને ભગવાન શિવની આરાધના કરે છે, તેમના પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે. 

માનવામાં આવે છે કે, જે સુહાગણો સોમવતી અમાસનું વ્રત કરે છે, તેમને ભગવાન શિવ અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપે છે. 17 જુલાઈના રોજ સોમવતી અમાસની સાથે સાથે સોમવારનું વ્રત પણ છે અને તે દિવસે હરિયાલી અમાસ પણ છે. આ કારણો આ દિવસનું મહત્ત્વ વધી જશે. અહીંયા અમે તમને કેટલાક એવા ચાર કામ જણાવી રહ્યા છીએ, જે કરવાથી તમારા તમામ કષ્ટ દૂર થઈ જશે. 

સોમવતી અમાસ ઉપાય
પીપળાના ઝાડ પાસે દીવો કરો

સોમવતી અમાસના દિવસે પીપળાના ઝાડ પાસે દીવો કરવો તે શુભ માનવામાં આવે છે. દીવો પ્રગટાવતા સમયે તેમાં લવિંગ નાખો. હવે પીપળાના ઝાડની પરિક્રમા કરો અને ऊँ नमो भगवते वासुदेवाय મંત્રનો જાપ કરો. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી પિતૃદોષ દૂર થાય છે. 

ભગવાન શિવની પૂજા કરો
આ દિવસે વિધિ વિધાન સાથે ભગવાન શિવની પૂજા કરવી તે ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરતા સમયે બિલીપત્ર, દૂધ, દહીંથી શિવલિંગ પર અભિષેક કરો અને ओम नम: शिवाय મંત્રનો જાપ કરો. 

શ્વાનને રોટલી ખવડાવો
સોમવતી અમાસના દિવસે શ્વાનને રોટલી ખવડાવી તે શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, કાળા શ્વાનને રોટલી ખવડાવવાથી બિમારીઓ દૂર થાય છે અને જીવન પર સારી અસર થાય છે. 

માછલીને લોટની ગોળીઓ ખવડાવો
સોમવતી અમાસના દિવસે નદી અથવા તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી તે શુભ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ