બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Dinesh
Last Updated: 03:04 PM, 24 October 2022
દિવાળી 2022માં ખુબ જ શુભ સંયોગ સર્જાયો છે. આ વર્ષની દિવાળી સોમવાર એટલે કે 24 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવી રહી છે. આ શુભ પ્રસંગે અક અદ્ભૂત સંયોગ સર્જાયો છે. દિવાળી દિવસે સાંજના સમય પ્રદોષ કાળમાં લગભગ 5ને28 મિનીટે અમાવસ તિથી બેસે છે જેનું એક અદ્ભૂત મહિમા છે. એવામાં સોમવાર અને અમાસ તિથી એક જ દિવસ હોવાથી એક અનોખુ સંયોગ સર્જાયો છે. શાસ્રોમાં જણાવ્યું છે કે સોમવારના દિવસે અમાસ તિથી થોડીક્ષણ માટે બેસી જાય તો પણ તેને સોમવતી અમાસ કહેવાય છે. દિવાળીની દિવસે સોમવતી અમાસ બસે તો તેને દુર્લભ સંયોગ ગણવામાં આવે છે. જે ખુબ જ ફળદાયી ગણવામાં આવે છે.
શુ કરશો સોમવતી અમાવસે
સોમવતી અમાસ સૌભાગ્ય પ્રદાન કરવાના વ્રતનો મહિમા ખુબ જ જારેદાર છે. સોમવતી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. પરંતુ દિવાળી પર સોમવતીના સંયોગને કારણે ભગવાન શિવ, લક્ષ્મી, ગણેશ અને કુબેરની પૂજા કરવાનો મહિમા ખૂબ જ શુભદાયી અને મંગલકારી રહેશે. સોમવતી અમાવસ્યાના દિવસે પિતૃઓનું માટે પીપળાની પૂજા કરવી જોઈએ અને જો શક્ય હોય તો દિવસભર ભોજનમાં મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ.
આ રીતે કરો પૂજા
દિવાળી પર સોમવતી અમાસનો સંયોગનો લાભ લેવા માટે દિવાળી પુજન કરતા સમય ભગવાન શિવજીની પુજા પણ દેવી લક્ષ્મીજીને સાથે જરૂર કરો. આમ શાસ્ત્રોના નિયમો પ્રમાણે દેવી લક્ષ્મીજીની સાથે ભગવાન વિષ્ણુ, મહાકાળી સાથે શિવજી અને સરસ્વતી દેવીની સાથે બ્રહ્માજીની પુજા કરવામાં આવે છે. ગણેશજી અને કુબરેજીની પુજા પણ દિવાળીની રાતે દેવી લક્ષ્મીજીની સાથે જ કરવી જોઈએ. આનાથી લક્ષ્મી અને ધન પ્રાપ્તીનું આગમન ઘરમાં થાય છે.
સોમવતી અમાવસની કથા
સોમવતી અમાવસની કથામાં સોના ધોબણની કથાનો ઉલ્લેખ છે. જેમાં સોમવતી અમાસની અસરથી એક શાહુકારની પુત્રીનું સુહાગ બચાવી લીધુ હતું. બાદમાં તેના પતિનું મૃત્યુ થાય છે, પરંતું તે ઉપવાસ કરે છે જેનાથી તેનો પતિ જીવિત થઈ જાય છે. સોમવતી અમાસના વ્રતની અસર જાણીને સોના ધોબણનો આ વ્રત ગ્રામજનોએ રાખવાનું શરૂ કર્યું, ત્યારબાદ આ વ્રતની અસર જાણીને અન્ય શહેરોની મહિલાઓએ પણ સોમવતી વ્રત રાખવાનું શરૂ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો