બ્રેકિંગ ન્યુઝ
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
VTV / richest ganpati pandal in mumbai gsb seva mandal 2023
Arohi
Last Updated: 12:34 PM, 19 September 2023
ગણેશ ચતુર્થીને લઈને આખા મહારાષ્ટ્રમાં તૈયારીઓ ચાલી રહી છે. મુંબઈના લાલ બાગના રાજાની ઝલક જોવા માટે ભક્તોની ભીડ જામે છે. લાલ બાગના રાજા સિવાય મુંબઈમાં એક ગણપતિ પંડાલ છે જેની ચર્ચા ખૂબ જ થાય છે.
જણાવી દઈએ કે મુંબઈમાં સારસ્વત બ્રાહ્મણ મંડળે મુંબઈના સૌથી અમીર ગણપતિની સ્થાપના કરી છે. 15 ફૂડના ગણપતિની મૂર્તિને 66 કિલોગ્રામ વજનના સોનાના આભૂષણો અને 295 કિલોગ્રામ વજનના ચાંદીના આભૂષણોથી સજાવવામાં આવ્યા છે.
દરરોજ 50 હજાર ભક્ત કરશે ભોજન
GSB Seva Mandalના મહા ગણપતિનો 360.40 કરોડ રૂપિયાનો વીમો પણ કરવામાં આવ્યો છે. તેના ઉપરાંત સુરક્ષા માટે હાઈ-ડેંસિટી કેમેરા પણ લગાવ્યા છે. જીએસબી ગણેશ સાર્વજનિક ગણેશ ઉત્સવનું આ 69મું વર્ષ છે. અહીં દરરોજ 50 હજાર ભક્ત ભોજન કરશે અને 2 લાખથી વધારે ભક્તો દર્શન માટે આવશે.
જીએસબી સેવા મંડળના ચેરમેને જણાવ્યું કે, "અમારા ગણેશ મંડળનો 360.40 કરોડ રૂપિયાનો વીમો કરવામાં આવ્યો છે. 360 કરોડ રૂપિયામાંથી 38.47 કરોડ રૂપિયાની એક સર્વ-જોખમ વીમા પોલિસી છે જે સોના અને ચાંદીના લાખોના આભૂષણો માટે વિવિધ પ્રકારના જોખમોને કવર કરે છે. 2 કરોડ રૂપિયા આગ અને ભૂકંપ જેવા જોખમોને કવર કરે છે. 30 કરોડ રૂપિયા એક સાર્વજનિક કવર છે જે પંડાલ અને ભક્તોની સુરક્ષા માટે છે. 289.50 કરોડ રૂપિયાનો સૌથી મોટો ભાગ સ્વયંસેવકો અને કર્મચારીઓ માટે વ્યક્તિગત દુર્ઘટના વીમા કવર છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ