બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Nirav
Last Updated: 11:37 PM, 20 September 2020
હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતી જિલ્લામાં મનાલી-લેહ હાઇવે ખૂબ ઊંચાઈ પર સ્થિત, વિશ્વની સૌથી લાંબી ટનલ બની છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ( બીઆરઓ ) ના વરિષ્ઠ અધિકારીએ રવિવારે આ વિશે જણાવ્યું હતું.
10000 ફૂટ ઊંચે નવા કિમી લાંબી છે ટનલ
બીઆરઓ નાં ચીફ એન્જિનિયર બ્રિગેડિયર કે પી પુરુષોત્તમને જણાવ્યું હતું કે સમુદ્ર સપાટીથી 10,000 ફુટ ઉપર લાહૌલ સ્પિતીમાં રોહતાંગ ખાતે નવ કિલોમીટર લાંબી અટલ ટનલનું વિધિવત ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી અઠવાડિયામાં કરવામાં આવશે.
અધિકારીએ જણાવ્યું હતું કે અમે 25 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે તેને ખોલવા તૈયાર છીએ. વડા પ્રધાન કદાચ આ મહિનાના અંતિમ સપ્તાહમાં અથવા આવતા મહિનાના પહેલા અઠવાડિયામાં ઉદ્ઘાટન કરશે.
ડિજિટલ ઉદ્ઘાટન કરશે પીએમ મોદી
અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, તે આગામી કેટલાક દિવસોમાં મળી જશે. આ ક્ષણે તે સ્પષ્ટ નથી થયું કે કોરોના વાયરસ સંકટને કારણે તેનું ડિજિટલ ઉદ્ઘાટન કરવામાં આવશે કે કેમ. આશરે 3,500 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી અટલ ટનલ સંરક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
રાજ્ય સરકારના પ્રવક્તાએ કહ્યું કે આનાથી મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર ઘટાડશે. ઉપરાંત, લાહૌલ-સ્પીતીના રહેવાસીઓને શિયાળામાં તેનો મોટો ફાયદો થશે.
તેમણે માહિતી આપી હતી કે આ ટનલ ખોલવાથી હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતી અને લેહ-લદાખ વચ્ચેનો ઓલ-વેધર રસ્તો મળશે. શિયાળામાં ભારે બરફવર્ષાને કારણે, દેશનો આ ભાગ છ મહિના સુધી બાકીના દેશ સાથેનો સંપર્ક ગુમાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો