બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / Read the suicide note of Praudh who committed suicide in Surat and you will tremble

કાર્યવાહી / હું તમને છોડીને જઉં છું કારણ કે PSI મને ટૉર્ચર કરે છે: સુરતમાં આપઘાત કરનાર પ્રૌઢની સુસાઇડ નોટ વાંચી ધ્રુજી જશો

Vishal Khamar

Last Updated: 11:56 AM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પીએસઆઈના ત્રાસથી પ્રૌઢે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પીએસઆઈ દ્વાર પૈસાની લેતીદેતી મામલે માનસિક ત્રાસ આપતા હોવાનો સ્યુસાઈડ નોટમાં મૃતક દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે પીએસઆઈ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતમાં આધેડ દ્વારા રૂપિયા 50 હજારની ઉઘરાણી માટે પોલીસે ટોર્ચર કરતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આધેડ દ્વારા તેમનાં ઓળખીતા પાસેથી રૂપિયા પચાસ હજાર ઉછીના લીધા હતા. જે પરત આપવા માટે પીએસઆઈ એ.એ.આહીર દ્વારા ત્રણ દિવસથી ટોર્ચર કરવામાં આવતું હોવાનો મૃતક દ્વારા સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. 

પીએસઆઈ દ્વારા પૈસા પરત મેળવવા માનસિક ત્રાસ આપવામાં આવ્યો
મૃતક કિશોરભાઈ ગોહીલ દ્વારા આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. ત્યારે સ્યુસાઈડ નોટમાં તેમણે પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.એ.આહીર દ્વારા તેમને 50 હજારની ઉઘરાણી માટે માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કિશોરભાઈએ વિનય નામની ઓળખીતા વ્યક્તિ પાસેથી રૂપિયા 50 હજાર ઉછીના લીધા હતા. વિનય દ્વારા તે પૈસા પરત મેળવવા માટે પોલીસની મદદ લીધી હતી. ત્યારે પોલીસ દ્વારા ટોર્ચર કરવામાં આવતા કિશોરભાઈ દ્વારા આપઘાત કર્યો હોવાનું પરિવારજનાં સભ્યએ જણાવ્યું હતું. 

મૃતક દ્વારા લખેલ સ્યુસાઈડ નોટ

વધુ વાંચોઃ ગિરનારના પ્રથમ પગથિયાં પાસે આગ લાગતાં મચી અફરાતફરી; સદનસીબે કોઈ જાનહાનિ નહીં, ધારાસભ્ય ઘટનાસ્થળે પહોંચ્યા

મૃતકે સ્યુસાઈડ નોટમાં શુ ઉલ્લેખ કર્યો
મૃતક દ્વારા આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, પ્રિય લત્તા, મયુર, ક્રિષ્ના હું તમને  છોડીને જાવ છું. તો મને માફ કરી દેજો. કારણ કે મને ટેન્શન એટલું વધી ગયું છે કે અને એક પોલીસ ઈન્સ્પેક્ટર- વેડરોડ હરીઓમ મિલ પાસે પોલીસ ચોકી કોલ કરીને મને છેલ્લા ત્રણ-ચાર દિવસથી ટોર્ચર કરે છે. એ.એ.આહીર લેન્ડ લાઈન નંબર છે. 0261 2462570. દરેક સગા સબંધીને મારા સાદર પ્રણામ  મારાથી ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દેજો. મે વિનયભાઈ પાસેથી રૂા. 50000 લીધા હતા. તેમણે પોલીસને કહ્યું હતું તે મને ટોર્ચર કરતા હતા. જે પીએસઆઈ મારી લાશની તહેકીકાત કરે તેમને જણાવવાનું કે બીજા કોઈને આ રીતે ટોર્ચર કરી મજબૂરીનો લાભ ન ઉઠાવે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ