બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
VTV / ગુજરાત / વડોદરા / Ramji procession was stone pelted at Bhoj village in Padra taluk of Vadodara.
Dinesh
Last Updated: 05:20 PM, 22 January 2024
અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતા દેશભરમાં રામમય માહોલ બની ગયો છે. વિવિધ વિસ્તારોમાં રામ મંદિર મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. દીવડાઓ પ્રગટાવી, રંગોળી પૂરીને તો ક્યાંક શોભાયાત્રા યોજીને ભક્તિરસ સાથે રામભક્તોમાં ઉત્સાહનુ વાતાવરણ છવાયું છે. આ બધાની વચ્ચે ક્યાંક અસામાજિક તત્વોનો આતંક પણ સામે આવ્યો છે. વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામે રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો.
Vadodara News: વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામે રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો | VTV Gujarati#vadodara #vadodarapolice #padra #ramshobhayatra #gujaratpolice #VTVGujarati pic.twitter.com/b2v02LOlzK
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 22, 2024
બે જૂથ વચ્ચે બબાલ બાદ પથ્થરમારો
અત્રે જણાવીએ કે, વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામે રામજીની શોભાયાત્રા નીકળી હતી, તે દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ રામયાત્રા પર પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બન્યો હતો. જે પથ્થરમારામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતાં. સમગ્ર બાબતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ પરિસ્થિત પર કાબૂ મેળવ્યો હતો. સદીઓના સંઘર્ષ બાદ પ્રભુ શ્રીરામ નિજ મંદિરમાં બિરાજમાન થતાં રામ ભક્તોમાં ઉત્સાહનુ વાતાવરણ છે તો બીજી તરફ પથ્થરમારાની ઘટના બનતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે
કોણ છે શાંતિના દુશ્મનો? વડોદરાના ભોજ ગામે રામયાત્રા પર પથ્થરમારો#vadodara #vadodaranews #gujarat #gujaratinews #vtvcard pic.twitter.com/3KYn5OlZPr
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 22, 2024
વાંચવા જેવું: ખેરાલુ પથ્થરમારાનો ચોંકાવનારો વીડિયો: 5-7 યુવાનો સાથે મહિલાઓ પણ કરી રહી હતી રામ શોભાયાત્રા પર કાંકરીચાળો
ખેરાલુમાં પણ શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો
મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાને લઈ ખેરાલુ પોલીસ દ્વારા પથ્થરમારાને લઈ ફરિયાદ નોંધવામાં આવી હતી. ગઈકાલે સાંજે બનેલી ઘટનામાં નામજોગ 32 શખ્શો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં ખેરાલુ PSI જે.કે.ગઢવી ફરિયાદી બન્યા છે. આરોપીઓએ કાવતરૂ રચીને પથ્થરમારો કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ ઘાતક હથિયારોથી હુમલો થયાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. ફરિયાદી પીએસઆઈ અને અન્ય એક વ્યક્તિને પણ ઈજા પહોંચી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ