બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / ધર્મ / Ram Navami 2024 Gajakesari yoga will be done on Ramnavami day, these 3 zodiac signs will get wealth.
Dinesh
Last Updated: 07:50 AM, 17 April 2024
Ram Navami 2024: રામ નવમીનો તહેવાર આજે 17 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે રામ નવમી ખૂબ ખાસ છે, શ્રી રામના જન્મ જેવો સંયોગ બની રહ્યો છે જે ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે. રામનવમીને લઈ દેશમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવનો ભારે ઉત્સાહ છે. ઠેરઠેર દેશમાં રથયાત્રા દરવર્ષની જેમ નીકળવાની છે. જેમાં મોટીસંખ્યામાં રામભક્તો જોડાશે. પરંતુ આ વખતે દેશમાં ભગવાન શ્રી રામનું અયોધ્યામાં મંદિર પણ બની ગયું છે. ત્યારે આ વખતે રામનવમી ભવ્ય મંદિરની પ્રથમ રામનવમી છે. જેની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
ચૈત્રી નવરાત્રી પણ આજના દિવસે સમાપ્ત થશે. ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિને પવિત્ર દિવસોમાંનો એક ગણવામાં આવે છે. આ વખતે રામનવમી પર ખૂબ જ દુર્લભ અને વિશેષ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રી રામના જન્મ સમયે આવો સંયોગ બન્યો હતો. જેના પ્રભાવથી કેટલીક રાશિઓ પર રામજીની વિશેષ કૃપા વરસશે. જાણો રામ નવમી 2024 ના શુભ સંયોગોનો લાભ કઈ રાશિઓને થશે.
રામ નવમી 2024નો શુભ સંયોગ
કર્ક લગ્ન - રામ નવમી પર ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. રામજીનો જન્મ પણ કર્ક રાશિમાં થયો હતો.
સૂર્યની શુભ સ્થિતિ - જ્યોતિષશાસ્ત્ર અનુસાર રામલલાના જન્મ સમયે સૂર્ય દસમા ભાવમાં તેના ઉચ્ચ રાશિમાં હતો, આ વખતે રામ નવમીના દિવસે એટલે કે, આજે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં છે અને તે બપોરના સમયે દશમ ભાવમાં રહેશે.
ગજકેસરી યોગ - આ દિવસે ગજકેસરી યોગનો પ્રભાવ જોવા મળશે, જે શ્રી રામની કુંડળીમાં પણ હતો. જ્યારે આ યોગ થાય છે ત્યારે વ્યક્તિને ગજ જેવી શક્તિ અને સંપત્તિ મળે છે. આ વખતે રામ નવમી પર આ સંયોગોનું એકસાથે આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મેષ, કર્ક અને તુલા રાશિના લોકોને તેનાથી ફાયદો થશે.
આ રાશિઓને લાભ આપશે
કર્કઃ કર્ક રાશિના લોકો માટે રામ નવમીનો તહેવાર સમૃદ્ધ સાબિત થશે. તમે પણ શ્રી રામના વિશેષ આશીર્વાદથી ધન્ય થશો. તમને નોકરીની ઘણી સારી તકો મળશે. ધંધામાં દિવસ-રાત બમણી પ્રગતિ થશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. આત્મવિશ્વાસ વધશે, આનાથી લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ મળશે.આવકના નવા સ્ત્રોત ખુલશે.
મેષ રાશિઃ શ્રી રામજીની કૃપાથી મેષ રાશિના જાતકોને રામ નવમી પર તમામ ક્ષેત્રોમાં સફળતા મળશે. પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. તમે તમારા પૂર્વજોની સંપત્તિનો પણ આનંદ માણી શકશો. પરિવારમાં ખુશીઓ રહેશે, જેનાથી મન પ્રસન્ન રહેશે.
વાંચવા જેવું: રામ નવમીના દિવસે આ શુભ મુહૂર્ત પર કરો હવન-પૂજન, મળશે મા દુર્ગાના આશીર્વાદ
તુલા: રામ નવમીનો તહેવાર તમારા માટે ખુશીઓ લઇને આવશે. વેપારમાં નવી તકો મળશે. નવા કાર્યની શરૂઆત કરવાની યોજના સફળ થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી અટકેલા તમામ કામ હવે પૂર્ણ થશે. તમે કાર કે જમીન ખરીદવાનું તમારું સપનું પૂરું કરવામાં સફળ રહેશો. કાર્યસ્થળ પર તમને તમારા અધિકારીઓનો સહયોગ મળશે અને નવી જવાબદારીઓ મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban