બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
VTV / ધર્મ / ગુજરાત / Rakshabandhan today: Scholars differ on Muhurta, celebrations tomorrow at pilgrimage centers including Dakor-Dwarka
Dinesh
Last Updated: 09:26 AM, 30 August 2023
Rakshabandhan 2023 : આજે રક્ષાબંધન છે. ભાઈ બહેનનો દિવસ. આખું વર્ષ મીઠી લડાઈ-ઝઘડો કર્યા બાદ એક દિવસ એવો આવે છે જે ભાઈ-બહેનના પ્રેમનો દિવસ છે. આજે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રક્ષાબંધનના શુભ મુહૂર્તને લઈને અસમંજસતા સર્જાઈ છે. કેટલીક જગ્યાએ આવતીકાલે રક્ષાબંધન ઉજવાશે, કારણ કે, આ વખતે ભદ્રાને લઈ રાખડી ક્યારે બાંધવી તેને લઈ અસમંજસ સર્જાઈ છે.
જગન્નાથ મંદિરમાં આવતીકાલે રક્ષાબંધન ઉજવાશે
શ્રાવણી પૂનમની સાથે સવારે 10.58થી ભદ્રાનો પણ પ્રારંભ થઈ જશે. ભદ્રામાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. જ્યોતિશીઓના મતે વિષ્ટિ રાત્રે 9.02 સુધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે 30 ઓગસ્ટના રોજ રક્ષાબંધનની સરકારી જાહેર રજા છે, પરંતુ ડાકોર, દ્વારકા, શક્તિપીઠ અંબાજીમાં 31 ઓગસ્ટના રોજ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. એટલું જ નહી દ્વારકાધીશમાં ભગવાનને જનોઈ 30 ઓગસ્ટે એટલે કે, આજે બપોરે બદલવામાં આવશે જ્યાં પૂનમ આવતી કાલે મનાવવામાં આવશે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં આવતીકાલે રક્ષાબંધન ઉજવાશે. આ બધાની વચ્ચે લોકો અસમજસમાં મુકાયા છે.
ક્ષાબંધનના શુભ મુહૂર્તને લઈને અસમંજસતા
કેટલાક જ્યોતિષીઓના મતે રાત્રે 9.05થી શુભમુહૂર્ત જ્યારે કેટલાક જ્યોતિષીઓના મતે સવારે 11 થી 7.50 શુભ મુહૂર્ત કહેવામાં આવી રહ્યું છે. આજે પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આવતીકાલે પણ ધાર્મિક સ્થાનોમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. જો કે, આ વખતે રક્ષાબંધનના શુભ મુહુર્તને લઈ લોકો મુજવણમાં મુકાયા છે.
ભદ્રા પુછ કેટલા વાગે છે
જ્યોતિષના જણાવ્યાનુસાર કે, 30 ઓગસ્ટના રોજ સાંજે 5.19 વાગ્યાથી ભદ્રા પુચ્છ શરૂ થાય છે અને સાંજે 6.31 વાગ્યે સમાપ્ત થશે. ખાસ પરિસ્થિતિમાં જેઓ રક્ષાબંધન ઉજવે છે તેઓ ભદ્રા પુચ્છ સમયગાળા દરમિયાન તેમના ભાઈને રાખડી બાંધી શકે છે. જે લોકો આ સમયગાળો ચૂકી જાય છે તેમને રાખડી બાંધવાનો શુભ મૂહુર્ત ત્યારે જ મળશે જ્યારે ભદ્રા 9.2 મિનિટ પછી સમાપ્ત થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો