બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / Politics / 'પાકિસ્તાનના નેતા રાહુલ ગાંધીના વખાણ કરે એ ચિંતાનો વિષય', રાજનાથ સિંહે કોંગ્રેસ પાસે માંગ્યો જવાબ

નિવેદન / 'પાકિસ્તાનના નેતા રાહુલ ગાંધીના વખાણ કરે એ ચિંતાનો વિષય', રાજનાથ સિંહે કોંગ્રેસ પાસે માંગ્યો જવાબ

Last Updated: 01:52 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : રાજનાથ સિંહે કહ્યુ, પાકિસ્તાનના પૂર્વ મંત્રી રાહુલ ગાંધીના વખાણ કરે તે ખૂબ જ ચિંતાનો વિષય છે અને કોંગ્રેસે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ.

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ પ્રચાર ચરમસીમાએ છે. આ દરમિયાન હવે પાકિસ્તાન નેતાએ રાહુલ ગાંધીના વખાણ કર્યા બાદ હવે રાજકારણ ગરમાયું છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના વખાણ કરીને તેમની મુશ્કેલીઓ વધારી દીધી છે. વાસ્તવમાં આ વખાણ બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર સતત પ્રહારો કરી રહી છે. ભાજપ આ મુદ્દે રાહુલ ગાંધી પાસેથી જવાબ માંગી રહી છે. હવે રક્ષા મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે પણ આ મામલે એન્ટ્રી કરી છે. તેમનું કહેવું છે કે, પાકિસ્તાનના પૂર્વ મંત્રી રાહુલ ગાંધીના વખાણ કરે તે ખૂબ જ ચિંતાનો વિષય છે અને કોંગ્રેસે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ.

કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપો

રાજનાથ સિંહે કહ્યું કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાસે કોઈ તાકાત નથી જ્યારે તેમની પાર્ટી ચૂંટણીના ફાયદા માટે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિભાજન કરવાનો પ્રયાસ કરીને આગ સાથે રમી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ધાર્મિક આધાર પર તણાવ પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા માંગે છે. તેઓ મુસ્લિમ સમુદાયને માત્ર વોટબેંક તરીકે જુએ છે. કોંગ્રેસને સૂચન આપતાં રાજનાથ સિંહે કહ્યું કે મારું તેમને એક સૂચન છે, માત્ર સરકાર બનાવવા માટે રાજનીતિ ન કરવી જોઈએ. રાજકારણનો ઉદ્દેશ્ય રાષ્ટ્ર નિર્માણ હોવો જોઈએ. તેમણે ફરીથી ભાજપ માટે મોટી જીતનો દાવો કર્યો.

વધુ વાંચો: 'ભારત પર આરોપ મુકવો તેમની રાજકીય મજબૂરી' એસ. જયશંકરે નિજ્જર હત્યા કેસમાં પીએમ ટ્રુડોને રોકડું પરખાવ્યું

શું છે સમગ્ર મામલો?

હકીકતમાં પાકિસ્તાની નેતા અને ઈમરાન ખાન સરકારમાં મંત્રી ચૌધરી ફવાદ હુસૈન છેલ્લા એક સપ્તાહમાં બે વખત રાહુલ ગાંધીના વખાણ કરી ચૂક્યા છે. ફવાદ હુસૈને શનિવારે X પર લખ્યું (4 મે, 2024) ફવાદ હુસૈને લખ્યું કે, સમસ્યાઓ સમાન છે. રાહુલ સાહેબે તેમના છેલ્લા ભાષણમાં કહ્યું હતું કે, 30 કે 50 પરિવારો ભારતનો 70% હિસ્સો ધરાવે છે. આ સંપત્તિ પાકિસ્તાનમાં છે જ્યાં માત્ર પાક બિઝનેસ કાઉન્સિલ નામની બિઝનેસ ક્લબ અને કેટલાક રિયલ એસ્ટેટ મેગ્નેટ પાકિસ્તાનની 75% સંપત્તિ ધરાવે છે... સંપત્તિનું યોગ્ય વિતરણ મૂડીવાદનો સૌથી મોટો પડકાર છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ