બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Railway bridge washed away due to flood in Uchha river
Khyati
Last Updated: 03:35 PM, 13 July 2022
દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મેઘો આ વખતે ધનાધન બેટિંગ કરી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદી નાળામાં નવા નીરની આવક થવા પામી છે તો બીજી તરફ એવા ઘણા વિસ્તારો છે જ્યાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તો બીજી તરફ કરોડોના ખર્ચે બનાવેલા પુલ અને રસ્તા ધોવાતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે વાત કરીએ છોટાઉદેપુરની તો અહીં ધોધમાર વરસાદમાં રેલવે બ્રિજ ધોવાઇ ગયો.
100 વર્ષ જૂનો રેલવે બ્રિજ ધોવાયો
છોટાઉદેપુરના સંખેડા નગરવાડા પાસે રેલવે બ્રિજ ધોવાયો હોવાનું સામે આવ્યું છે. ઉચ્છ નદીમાં ભારે પૂર આવવાને કારણે રેલવે બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો. છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ વરસતા મોટા પ્રમાણમાં નુકસાન થયુ હોવાનું સામે આવ્યું છે. અંગ્રેજ શાસન દરમિયાન બનાવવામાં આવેલો રેલવે બ્રિજ તૂટી ગયો છે જ્યારે અમુક ભાગ વરસાદી પાણીમાં વહી જવા પામ્યો છે. 100 વર્ષ જૂનો ગણાતો રેલવે બ્રિજ ઉચ્છ નદીમાં પુર આવતા ધરાશાયી થયો છે.છુંછાપુરાથી તણખલાને જોડતી રેલવે લાઈન તૂટી પડી હતી.
છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદથી નુકસાન
આ અંગે સ્થાનિકોનું કહેવુ છે કે છોટાઉદેપુરમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ પડતા મોટું નુકસાન થયુ છે કોઇનું ઘર તૂટી પડ્યુ છે તો કોઇનું ખેતર ધોવાઇ ગયુ છે. મહત્વનું છે કે છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળાં, કોતરો છલકાતાં અનેક ગામો સંપર્કવિહોણાં બન્યાં હતાં. તો નસવાડી તાલુકાનાં 12 ગામ અને કવાંટના બે રસ્તા બંધ કરાયાં હતાં. સંખેડા તાલુકામાં આવેલી ઉચ્છ નદીમાં વરસાદનું પાણી આવતાં જ બે કાંઠે વહેતી થઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો