બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
Khyati
Last Updated: 04:50 PM, 26 April 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપના દિગ્ગજો એક બાદ એક ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તો આ તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ 1લીમેના રોજ ગુજરાત આવવાના હતા પરંતુ હવે તેમનો ગુજરાત પ્રવાસ હાલ પૂરતો મોકૂફ રહ્યો છે. મહત્વનું છે કે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આદિવાસી અધિકાર યાત્રાની શરુઆત કરાવવાના હતા
1 મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવવાના હતા. આ પ્રવાસ દરમિયાન દાહોદથી આદિવાસી અધિકાર યાત્રાની શરૂઆત કરાવવાના હતા. . 2022ની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ આદિવાસી અધિકાર યાત્રા યોજાવાની હતી.. આ યાત્રાને લઇને દાહોદમાં કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો દ્વારા બેઠકનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતું.. જો કે 1 મેનો પ્રવાસ ભલે કેન્સલ થયો પરંતુ આગામી 12 જૂનના રોજ બારડોલી સત્યાગ્રહના દિવસે પણ રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે અને સભાને પણ સંબોધશે.
1મેના રોજ રાજકીય દિગ્ગજો આવશે ગુજરાત
1 મેના ગુજરાત સ્થાપના દિવસ છે. આ દિવસની ઉજવણીના ભાગરુપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉજવણીમાં ભાગ લેવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહેશે. તેઓ પાટણ ખાતેના સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. 1લી મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ નિમિત્તે તેઓ ગુજરાતના પ્રવાસે આવશે. કેજરીવાલ ગુજરાત આવીને સૌરાષ્ટ્ર અથવા તો દક્ષિણ ગુજરાતમાં પ્રવાસ કરશે તેવી શક્યતાઓ છે,,,કેજરીવાલ જ્યારે ગુજરાત આવશે ત્યારે જનસભાને પણ સંબોધિત કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ