બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Hiralal
Last Updated: 03:03 PM, 6 March 2024
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધી પરિવારનો ગઢ ગણાતા રાયબરેલી અને અમેઠી પર અટકળોનો દોર પૂરો થતો દેખાઈ રહ્યો છે. અહેવાલ છે કે કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વાડ્રાને રાયબરેલીથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડ બંને સીટો પરથી ચૂંટણી લડી તેવું પણ લગભગ નક્કી છે. જોકે સત્તાવાર જાહેરાત બાકી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા ગાંધી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી પદાર્પણ કરવા જઈ રહ્યાં છે. સાથે જ રાહુલ 2019ની લોકસભા ચૂંટણીની જેમ અમેઠી અને વાયનાડથી ચૂંટણી લડશે. ખાસ વાત એ છે કે કેરળની વાયનાડ બેઠક માટે ડાબેરી પક્ષો દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ અમેઠીને લઇને પણ ચર્ચાઓ તેજ થઇ ગઇ હતી.
પ્રિયંકાના દીવ-દમણથી ચૂંટણી લડવાની ઉડી હતી અફવા
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી દીવ-દમણથી ચૂંટણી લડવાની પણ અફવા ઉડી હતી જોકે આ અફવા જ રહી. દમણ-દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે જણાવ્યું હતું કે, એ વાત સાચી છે કે પ્રિયંકા ગાંધી દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ અંગે કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા ચાલી રહી છે. આ બેઠક પરથી પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવાનું ગણિત ઘડવામાં આવ્યું છે. તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ગાંધીને આ નાના કેન્દ્રશાસિત પ્રદેશમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
#PriyankaGandhi Vadra to contest from Uttar Pradesh's Raebareli, #RahulGandhi from both Amethi and Wayanadhttps://t.co/YWoTAaM1Q1
— The Telegraph (@ttindia) March 6, 2024
રાયબરેલમાંથી 2004થી સોનિયા ગાંધી ચૂંટાઈ રહ્યાં છે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલી સીટ પર 2004થી જીત મેળવી રહ્યા હતા. 2019માં ઉત્તર પ્રદેશની 80 બેઠકો પર તેઓ એકમાત્ર કોંગ્રેસી સાંસદ હતા. આ વખતે તેઓ રાજસ્થાનથી રાજ્યસભામાં ગયા હતા. જો કે કહેવામાં આવી રહ્યું છે કે અમેઠીની જનતાને લખેલા પત્રમાં તેમણે ગાંધી પરિવારમાંથી ઉમેદવાર હોવાનો સંકેત આપી દીધો હતો.
અમેઠી પણ કોંગ્રેસનો ગઢ પણ 2019માં ભેદાયો હતો
રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પરથી પણ ચૂંટણીમાં પદાર્પણ કર્યું હતું. આ પછી તેણે 2009 અને 2014માં પણ જીત મેળવી હતી. જો કે ગત લોકસભા ચૂંટણીમાં તેમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ 50 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો