બ્રેકિંગ ન્યુઝ
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
VTV / PM Modi gave a message about Manipur from Red Fort
Malay
Last Updated: 08:40 AM, 15 August 2023
સ્વતંત્રતા દિવસ 2023ઃ ભારત દેશે આઝાદીના 76 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે સમગ્ર દેશ 77મો સ્વતંત્રતા દિવસ (Swatantrata Diwas) મનાવી રહ્યો છે. 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચી પરથી તિરંગો ફરકાવ્યો છે. આ સતત 10મી વખત છે જ્યારે પીએમ મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ પોતાના 10 વર્ષના UPA કાર્યકાળમાં સતત 10 વખત તિરંગો ફરકાવ્યો હતો.
લાલ કિલ્લાથી PM મોદીએ મણિપુરને લઈને આપ્યો સંદેશ, શાંતિની કરી અપીલ#Delhi #RedFort #IndependenceDay2023 #IndependenceDayIndia #15august2023 @PMOIndia @narendramodi #manipur #manipurviolence #vtvgujarati pic.twitter.com/VwcuK6hD5i
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 15, 2023
PM મોદીએ લાલ કિલ્લા પરથી કર્યું રાષ્ટ્રજોગ સંબોધન
77મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ધ્વજવંદન કરાયા બાદ એરફોર્સના હેલિકોપ્ટરે ફૂલોની વર્ષા કરી હતી. ત્યાર બાદ લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. PM મોદીએ કહ્યું, વિશ્વની સૌથી મોટી લોકશાહી અને હવે વસ્તીની દ્રષ્ટિએ પણ અગ્રણી દેશ. એટલો મોટો દેશ મારા પરિવારના 140 કરોડ સભ્યો આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી રહ્યા છે. હું ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું યોગદાન આપનારા તમામ બહાદુરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
પીએમ મોદીએ મણિપુર હિંસાનો કર્યો ઉલ્લેખ
જે બાદ પીએમ મોદીએ મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં મણિપુરમાં હિંસા ફેલાઈ. માતા-બહેનોના સન્માન સાથે ખિલવાડ કરવામાં આવ્યો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અહીંની સ્થિતિ સામાન્ય થઈ રહી છે. શાંતિ પાછી આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. દેશ મણિપુરના લોકોની સાથે છે. શાંતિ દ્વારા જ તેમાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને આ સમસ્યાઓના ઉકેલ માટે ઘણા પ્રયાસો કરી રહી છે. સમગ્ર દેશ આજે મણિપુરની સાથે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ