બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Manisha Jogi
Last Updated: 05:08 PM, 20 December 2023
અમેરિકાએ દાવો કર્યો છે કે, ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાના ષડયંત્રમાં ભારતીય અધિકારી શામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બાબતે પ્રતિક્રિયા આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મામલે પહેલી વાર પ્રતિક્રિયા આપી છે કે, ‘અમેરિકા પાસે કોઈ પુરાવો હોય તો રજૂ કરે. આ પ્રકારની ઘટનાઓને કારણે ભારત અને અમેરિકાના સંબંધ પર અસર નહીં થાય.’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ‘આ મામલે કોઈપણ પુરાવો હશે તો નિશ્ચિતપણે વિચાર કરીશું. અમારા નાગરિકે કંઈ સારું કે ખરાબ કર્યું હશે તો તેના પર વિચાર કરીશું. કાયદા શાસન માટે પ્રતિબદ્ધ છીએ.’
ભારતે 2020માં પન્નૂને આતંકી જાહેર કર્યો હતો
અમેરિકાએ જણાવ્યું હતું કે, આ ષડયંત્રમાં એક ભારતીય અધિકારી શામેલ છે. અમેરિકાના આ આરોપ પછી ભારતીય વિદેશ મંત્રાલયે એક કમિટીનું ગઠન કર્યું છે. આ કમિટી અમેરિકાના દાવા અને પુરાવાની તપાસ કરશે. ભારતે ગુરપતવંત સિંહ 2020માં પન્નૂને જાહેર કર્યો હતો. PM મોદીએ કહ્યું છે કે, પશ્ચિમી દેશ અલગાવવાદી તત્ત્વોને પ્રોત્સાહન ના આપે.
ભારતીય અધિકારીએ પન્નૂની હત્યાનું ષડયંત્ર રચ્યું- US
અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે 29 નવેમ્બરના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતીય મૂળના નિખિલ ગુપ્તાએ ખાલિસ્તાની નેતા પન્નૂની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. ભારતીય અધિકારીએ નિખિલ ગુપ્તાને આદેશ આપ્યો હતો. ચેક રિપબ્લિકમાં નિખિલ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી અને તેના અમેરિકા પ્રત્યાર્પણની પ્રક્રિયા ચાલી રહી છે.
આતંકી પન્નૂ 2019થી NIAના રડાર પર
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ વર્ષે પન્નૂ સામે પહેલો કેસ દાખલ કર્યો હતો. ખાલિસ્તાની આતંકી પન્નૂ વર્ષ 2019થી NIAના રડાર પર છે. પન્નૂ વિદેશમાં રહીને ભારત વિરોધી ગતિવિધિ કરે છે. પન્નૂ પર પંજાબમાં અલગાવવાદને વૃદ્ધિ આપવાનો અને અલગથી ખાલિસ્તાન રાજ્ય બનાવવા માટે યુવાઓને ભડકાવવાનો આરોપ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો