બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
Hiren
Last Updated: 10:56 PM, 24 March 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના પ્રવચનમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરતા જ લોકોમાં ફફડાટ અને ભયનો માહોલ ઉભો થયો છે. વડાપ્રધાને આ જાહેરાત એક પ્રકારે કર્ફ્યુ જ હોવાનું કહેતા લોકો હવે જનજીવનની વસ્તુ નહીં મળે તેમ સમજી બેઠા અને મોડી રાત્રે લોકોના ટોળા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ખરીદી માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશ્વાસન આપતા કહ્યું હતું કે, હું ખાતરી આપું છું કે 21 દિવસ દરમિયાન જે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે તે અનુસાર આવશ્યક તમામ ચીજ વસ્તુઓ મળી રહશે. ગભરાશો નહીં... ઘર માટે જરૂરી દૂધ, શાકભાજી, દવાઓ, અનાજ, કરિયાણું, ખાદ્યચીજ વસ્તુઓ મળી રહેશે. હોસ્પિટલ, લેબોરેટરી અને મેડિકલ ચાલુ રહેશે.
મારા દેશવાસીઓ ડરે નહીં, જરૂરી સેવાઓ અને વસ્તુઓ મળતી રહેશેઃ PM મોદી
પ્રધાનમંત્રી દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે, દેશવાસીઓને ડરવાની જરૂર નથી. પીએમએ ટ્વીટ કરીને કહ્યું કે જરૂરી સેવાઓ અને દવાઓ મળતી રહેશે. કેન્દ્ર અને તમામ રાજ્યોની સરકારો એક સાથે મળીને કામ કરશે જેથી લોકોને જરૂરી વસ્તુઓ મળતી રહેશે. આપણે લોકોએ એક સાથે મળીને કોવિડ-19 વિરૂદ્ધ લડશે અને એક સ્વસ્થ ભારતનું નિર્માણ કરીશું. જય હિંદ.
સુમુલ પાસે દૂધનો પૂરતો જથ્થો છેઃ ચેરમેન
સુરત સુમુલ ડેરીના ચેરમેન અને MDએ લોકોને અપીલ કરી છે કે દૂધ લેવા લોકો દોડા દોડી ન કરે. સુમુલ પાસે દૂધનો પૂરતો જથ્થો છે. દરરોજ 18 લાખ લીટર દૂધ આવે છે, જેની સામે માત્ર 12 લાખ લીટર દૂધ જ વેચાણ થાય છે.
PM મોદીની જાહેરાત બાદ ભાવનગર-રાજકોટમાં લાગી લાઇનો
પ્રધાનમંત્રી મોદીની લૉકડાઉનની જાહેરાત બાદ દુકાનો બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ભાવનગરના વિવિધ વિસ્તારમાં ખરીદી માટે ઉમટી પડ્યા હતા. સુભાષનગરમાં તો ઓરોવીઝન સ્ટોરોમાં જાને કે માલની ખરીદી માટે લોકો રીતસર અધીરા બન્યા હતા. આ ઉપરાંત રાત્રીનો સમય હોવા છતાં લોકો ફરસાણ અને શાકભાજી ખરીદવા ઉમટી પડ્યા હતા. લોકોએ આ જાહેરાતને વધાવી પરંતુ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ માટે ટ્રાન્સપોટેશન ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી.
ગુજરાતના નાગરિકે પેનિક થવાની જરૂર નથી, જાણો શું શું ચાલુ રહેશે અને શું બંધ
ગુજરાતના નાગરિકે પેનિક થવાની જરૂર નથી. મોટી સંખ્યામાં લોકો કરિયાણા સ્ટોર પર ઉમટ્યા છે. પરંતુ સંગ્રહખોરી પણ ન કરવા સરકારે સૂચના આપી છે. કોઈપણ લોકોએ ડરવાની જરૂર નથી કે લાઈનો લગાડવાની જરૂર નથી.
શું-શું ચાલુ રહેશે
શું-શું બંધ રહેશે
શું બંધ કરવામાં આવે ?
લોકડાઉન સમયે સાર્વજનિક પરિવહન સેવા બંધ રહે છે આ સાથે જ હોટલ, રેસ્ટોરેન્ટ, ફૅક્ટરીઓ, વર્કશૉપ, ઑફિસ, ગોડાઉન, અઠવાડિક બજાર બંધ રહેશે. આ સાથે જ જો કોઈ જિલ્લાની સીમા અન્ય રાજ્ય સાથે મળતી હોય તો તેને સીલ કરાશે. એટલે કે બૉર્ડર સીલ કરવામાં આવે છે.
તો વળી એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચે દોડતી બસ અને રેલસેવાઓ પણ રદ્દ કરી દેવામાં આવે છે. મુસાફરોનું વહન કરતી ટૅક્સી-મેક્સી ગાડીઓ અટકાવી દેવામાં આવે છે, જ્યારે કન્સ્ટ્રક્શન કામ પણ રોકવામાં આવે છે અને ગાર્ડન અને પાર્ક પણ બંધ કરવામાં આવે છે.
કોઈ પણ લોકડાઉનમાં ખાનગી વાહનો ચલાવી શકે છે?
કોઈપણ જિલ્લાના લોકડાઉન પછી ખાનગી વાહનોનો ઉપયોગ કરી શકાય છે. શરત એ છે કે ખાનગી વાહનોનો ઉપયોગથી લોકોને કોઈ સમસ્યા ન થતી હોય, ખાસ કરીને કોરોના વાયરસના કિસ્સામાં, જો રસ્તા પર વાહનોની સંખ્યામાં વધારો થાય તો ભીડને ટાળવાનો હેતુ ન સરે. જો કોઈ ગંભીર માંદગીમાં હોય કે મુશ્કેલીમાં હોય તો તેઓ તેમની કાર લઈને બહાર જઈ શકે છે. પરંતુ લોકડાઉન કરવાના સરકારના હેતુની વિશેષ કાળજી લેવાય એ જરૂરી છે.
લોકડાઉન સમયે શું ન કરવું જોઇએ
ઈમરજન્સી ન હોય ત્યાં સુધી ઘર છોડશો નહીં. લોકડાઉનની જાહેરાત પછી, જો ઘરની બહાર કોઈ કારણ વિના એમનેમ નીકળ્યા તો વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી પણ થઇ શકે છે. લોકો તેમના ઘરે રહેવા દરમિયાન સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે. આ પરિસ્થિતિમાં ખોટા સમાચાર ફેલાવશો નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ