બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
Arohi
Last Updated: 08:03 PM, 8 September 2022
પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બર 2022થી શરૂ થવા જઈ રહ્યા છે. આ દરમિયાન પૂર્વજોનું સ્મરણ કરીને અનુષ્ઠાન, તર્પણ અને દાનનું વિશેષ મહત્વ છે. પિતૃ લોકને ચંદ્રના ઉર્ઘ્વભાગમાં માનવામાં આવે છે. એવી માન્યતા છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે. શાસ્ત્રો અનુસાર પ્રકૃતિ સાથે જોડાયેલી ઘણી બાબતોમાં પૂર્વજોનું સ્થાન જણાવવામાં આવ્યું છે.
પિતૃપક્ષમાં મનુષ્યથી લઈને પક્ષીઓ સુધી અનેક રૂપમાં પૂર્વજો તમારા દ્વારે આવી શકે છે તમે તેમને ઓળખી શકતા નથી. ચાલો જાણીએ પિતૃ પક્ષમાં પિતૃઓ તમારા ઘરમાં કયા રૂપમાં આવે છે. એવું કહેવાય છે કે તેમને ક્યારેય ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ નહીંતર પૂર્વજો ગુસ્સે થઈ જાય છે અને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
પિતૃપક્ષમાં આ રૂપોમાં ઘરે આવે છે પિતૃઓ
કાગડા
પિતૃપક્ષમાં ઘરે આવેલા કાગડાને ક્યારેય ભગાડો નહીં. કાગડાને ભોજન આપો. આમ ન કરવાથી પિતૃઓની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાદ્ધ પક્ષમાં 15 દિવસ સુધી પિતૃઓ કાગડા દ્વારા ભોજન લે છે. તેનાથી તેઓ તૃપ્ત થવાની સાથે જ પરિવારજનોના સુખી જીવનના આશીર્વાદ પણ આપીને જાય છે.
ગરીબ-જરૂરીયાતમંદ
પિતૃપક્ષના સમયે જો કોઈ અતિથિ, ગરીબ અને અસહાય વ્યક્તિ ઘરના દરવાજે આવે તો તેનો ક્યારેય અનાદર ન કરવો. એવું કહેવાય છે કે પૂર્વજો કોઈપણ સ્વરૂપમાં આવી શકે છે. તેથી તેમના માટે ભોજનની વ્યવસ્થા કરો. તેમને ક્યારેય ખાલી હાથે પાછા ન જવા દો. તેમને કંઈક દાન દક્ષિણા જરૂર આપો.
શ્વાન-ગાય
શ્વાનને યમના દૂત માનવામાં આવે છે. પિતૃપક્ષમાં પંચબલી ભોગમાં કૂતરા અને ગાયના નામનો ભોગ પણ લેવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં ગાય અને શ્રાવનનું ઘરના દરવાજા પર આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જો તેઓ રસ્તામાં જોવા મળે તો પણ તેમને ક્યારેય મારીને ભગાડશો નહીં, તેમને ખાવા માટે ચોક્કસ આપો. તેનાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે. બીજી તરફ પિતૃપક્ષમાં ગાયની સેવા કરવાથી પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો