બ્રેકિંગ ન્યુઝ
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
VTV / ટેક અને ઓટો / piaggio and autoliv working on two wheeler airbags for rider safety
Arohi
Last Updated: 01:33 PM, 11 November 2021
રાઈડની સેફ્ટી માટે ટુ-વ્હીલરમાં પણ હવે એરબેગ મળશે. તેના માટે ઓટો કંપની પિયાજીયો (Piaggio) અને ઓટોમેટિવ સેફ્ટી સિસ્ટમ આપનાર કંપની ઓટોલિવ (Autoliv)એ હાથ મિલાવ્યા છે. બન્ને કંપનીઓ ટુ-વ્હીલર માટે એવી એરબેગ ટેક્નોલોજી પર કામ કરી રહી છે જે અકસ્માત થવા પર તરત ખુલી જાય. આ રાઈડરને ઈજા પહોંચવાથી બચાવવા માટે છે.
અકસ્માત સમયે એક સેકેન્ડમાં ખુલી જશે એરબેગ
ટૂ વ્હીલર એરબેગને લઈને જે રિપોર્ટ્સ સામે આવી છે તે અનુસાર, એરબેગને ટુ-વ્હીલરમાં ફ્રેમની ઉપર લગાવવામાં આવશે. અકસ્માત થવા પર આ એરબેગ 1 સેકેન્ડમાં ખુલી જશે. એટલે કે અકસ્માતના સમયે જ્યારે રાઈડર ટુ-વ્હીલરથી પડશે તો તેને સેફ્ટી મળશે. ઓટોલિવ એડવાન્સ સિમુલેશન ટૂલની સાથે આ એરબેગને ડેવલોપ કરી ચુકી છે. સ્કૂટર અને બાઈક પર તેનુ ક્રેશ ટેસ્ટ પણ શરૂ થઈ ચુક્યું છે. બન્ને કંપનીઓ આ એરબેગને રાઈડર માટે વધુ સેફ બનાવવા માંગે છે.
કાર એરબેગથી લોકોનો જીવ બચે છે
ઓટોલિવ કંપનીના CEOએ આ એરબેગ ટેક્નોલોજી વિશે જણાવ્યું કે ફોર વ્હીલરમાં એરબેગના કારણે દુર્ઘટના વખતે મોટી સંખ્યામાં લોકોના જીવ બચી જાય છે. ટુ-વ્હીલરમાં આમ નથી થતું. માટે દુર્ઘટના સમયે લોકોના જીવ જાય છે. તેને રોકવા માટે ટુ-વ્હીલરમાં પણ આ ફિચર આપવાનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. અમે 2030 સુધી આ એરબેગથી એક વર્ષમાં 1 લાખ લોકોના જીવ બચાવવાનું લક્ષ્ય મુક્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ