બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Paracetamol taken for fever also gives relief in pain, know how this medicine gives benefit in pain
Vishal Dave
Last Updated: 11:42 PM, 21 March 2024
તાવ કે દુખાવાની સ્થિતિમાં પેરાસીટામોલની ગોળીઓ લેવી જોઈએ? જો તમને આ પ્રશ્ન પૂછવામાં આવે તો તમારો જવાબ ચોક્કસ જ હશે કે તે તાવની દવા છે. તાવમાં રાહત મેળવવા માટે મોટાભાગના લોકો પેરાસિટામોલનો ઉપયોગ કરે છે. તાવને તરત ઓછો કરવામાં આ દવા ખૂબ જ અસરકારક છે. જો કે, કેટલીકવાર ડોકટરો પીડાના કિસ્સામાં પણ પેરાસીટામોલ દવાની ભલામણ કરે છે.
આવી સ્થિતિમાં, લોકો મૂંઝવણમાં આવે છે અને વિચારે છે કે આ દવા તાવને રોકવા માટે આપવામાં આવી હશે. જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે પેરાસિટામોલનો ઉપયોગ દુખાવામાં રાહત મેળવવા માટે પણ કરી શકાય છે. હવે તમે વિચારતા હશો કે પેરાસિટામોલ તાવની દવા છે કે દુખાવાની..? ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ.
આ દવા તાવને ઝડપથી કંટ્રોલ કરે છે અને દુખાવામાં પણ રાહત આપે છે
તાવ અને દુખાવો બંનેમાં પેરાસિટામોલનો ઉપયોગ કરી શકાય છે. આ દવા તાવને ઝડપથી કંટ્રોલ કરે છે અને દુખાવામાં પણ રાહત આપે છે. તે બળતરા વિરોધી પણ માનવામાં આવે છે. જો કે, આ ટેબ્લેટનો ઉપયોગ માત્ર હળવીથી મધ્યમ પીડામાં જ કરવાની સલાહ આપવામાં આવે છે.
પીડા તીવ્ર હોય, ત્યારે આ દવાને બદલે અન્ય ગોળીઓની ભલામણ કરવામાં આવે છે
જ્યારે પીડા તીવ્ર હોય, ત્યારે આ દવાને બદલે અન્ય ગોળીઓની ભલામણ કરવામાં આવે છે. પેરાસીટામોલ અન્ય પેઇનકિલર્સ કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે અને આ જ કારણ છે કે હળવા દુખાવોના કિસ્સામાં પેઇનકિલર્સને બદલે આ દવા લેવી જોઈએ. જો અચાનક તાવ આવે તો પણ આ દવા લેવી સલામત માનવામાં આવે છે. જો કે, પેરાસીટામોલ વધારે લેવાથી ગંભીર આડઅસર થઈ શકે છે.
પેરાસિટામોલ સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને પેઇનકિલર તરીકે પણ આપી શકાય છે, પરંતુ આવા લોકોએ ડૉક્ટરની સલાહ વિના આ દવા ન લેવી જોઈએ. જે લોકો લીવર અથવા કિડની સંબંધિત સમસ્યાઓથી પીડિત છે તેઓએ વધુ પડતું પેરાસીટામોલ ન લેવું જોઈએ. આમ કરવાથી તે લોકો માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.
આ લક્ષણો દેખાય તો આ દવા તરત જ બંધ કરવી
જો કોઈ વ્યક્તિને પેરાસિટામોલ લીધા પછી ઝાડા, એલર્જી, ઉબકા, ભૂખ ન લાગવી, ત્વચા પર ચકામા અને ખંજવાળ જેવા લક્ષણો દેખાય, તો આ દવા તરત જ બંધ કરી દેવી જોઈએ. ઉપરાંત, તમારે શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. બધી દવાઓની આડઅસર હોય છે, પરંતુ પેરાસિટામોલ એ એવી દવાઓમાંથી એક છે જેની આરોગ્ય પર સૌથી ઓછી આડઅસર થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime