બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Priyakant
Last Updated: 02:07 PM, 23 August 2023
ભારતના મૂન મિશન ચંદ્રયાન-2ની મજાક ઉડાવનારા પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ હુસૈન ચૌધરીએ મૂન મિશન ચંદ્રયાન-3ના જોરદાર વખાણ કર્યા છે. વાત જાણે એમ છે કે, ભારતના ચંદ્ર મિશન ચંદ્રયાન-3ની પ્રશંસા કરતા ફવાદ ચૌધરીએ મંગળવારે તેને માનવજાત માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. આ સાથે તેમણે પાકિસ્તાની મીડિયાને ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગનું જીવંત પ્રસારણ કરવા વિનંતી કરી છે.
ચંદ્ર પર તિરંગો: પાકિસ્તાન પણ વખાણ કરવા મજબૂર#Chandrayan3 #ISRO #VikramLander #Chandrayaan_3 #isroindia #Chandrayaan3Missio #MoonLanding #Chandrayaan3Landing #LunarMission #LanderModule #ChandrayaanLanding #pakistan #VTVCard #vtvgujarati pic.twitter.com/ENzhPk6yeE
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 23, 2023
ઈમરાન ખાનની સરકારમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી રહેલા ફવાદ હુસૈન ચૌધરીએ અગાઉ 14 જુલાઈએ પણ ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા. 14 જુલાઈએ જ ઈસરોએ મૂન મિશન ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું.
Pak media should show #Chandrayan moon landing live tomorrow at 6:15 PM… historic moment for Human kind specially for the people, scientists and Space community of India…. Many Congratulations
— Ch Fawad Hussain (@fawadchaudhry) August 22, 2023
શું કહ્યું ભૂતપૂર્વ વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાને ?
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન ફવાદ ચૌધરીએ મંગળવારે X પર લખ્યું કે, પાકિસ્તાની મીડિયાએ આવતીકાલે સાંજે (એટલે કે આજે) સાંજે 6:15 વાગ્યે ચંદ્રયાન-3નું ચંદ્ર ઉતરાણ લાઈવ બતાવવું જોઈએ. સમગ્ર માનવજાત આ એક ઐતિહાસિક છે. ખાસ કરીને ભારતના લોકો, વૈજ્ઞાનિકો અને અવકાશ સમુદાય માટે આ ક્ષણ. ખૂબ ખૂબ અભિનંદન."
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 22, 2023
The mission is on schedule.
Systems are undergoing regular checks.
Smooth sailing is continuing.
The Mission Operations Complex (MOX) is buzzed with energy & excitement!
The live telecast of the landing operations at MOX/ISTRAC begins at 17:20 Hrs. IST… pic.twitter.com/Ucfg9HAvrY
અગાઉ પણ તેમણે પાઠવ્યા હતા અભિનંદન
મહત્વનું છે કે, અગાઉ 14 જુલાઈએ જ્યારે ઈસરોએ ચંદ્ર મિશન ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. તે સમયે પણ ફવાદ હુસૈને ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા. ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણ પછી તેમણે લખ્યું કે, ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણ માટે ભારતીય અવકાશ અને વિજ્ઞાન સમુદાયને અભિનંદન અને શુભેચ્છાઓ.
એક સમયે ઈસરોની ઉડાવવામાં આવી હતી મજાક
ઈસરોના ચંદ્ર મિશન ચંદ્રયાન-2 દરમિયાન પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ની મજાક ઉડાવી હતી. 2019માં ચંદ્રયાન-2 માટે 900 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરવામાં આવી હતી. આ બજેટ પર સવાલ ઉઠાવતા ફવાદ ચૌધરીએ PM મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે અજાણ્યા વિસ્તાર માટે આટલું બજેટ ખર્ચવું શાણપણ નથી.
ચંદ્રયાન-2ના સોફ્ટ લેન્ડિંગ દરમિયાન ISROનો વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જે બાદ પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ ઈસરો અને ભારતની મજાક ઉડાવતા 'ઈન્ડિયા ફેઈલ' હેશટેગ શરૂ કર્યું. 2019માં ચંદ્ર મિશન ચંદ્રયાન-2 દરમિયાન ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટર દૂર વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં નાસાએ પુષ્ટિ કરી હતી કે, વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હતું.
ભારત રચશે ઈતિહાસ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અવકાશમાં ઈતિહાસ રચવાથી માત્ર થોડા જ પગલાં દૂર છે. ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 આજે સાંજે 5.45 કલાકે ચંદ્ર તરફ આગળ વધવાનું શરૂ કરશે અને સાંજે 6.4 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. હાલમાં લેન્ડર વિક્રમ લેન્ડિંગ માટે ચંદ્રની સપાટી પર યોગ્ય સ્થાન શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે.
જો લેન્ડર વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ સફળ થશે તો રોવર પ્રજ્ઞાન તેમાંથી બહાર આવશે અને 500 મીટર સુધીના વિસ્તારમાં ચાલશે અને ઇસરોને ત્યાંના પાણી અને વાતાવરણ વિશે જણાવશે. લેન્ડર વિક્રમ આજે લેન્ડિંગ સાથે પોતાનું કામ શરૂ કરશે. ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે. આ કારણે ચંદ્રયાન-3 મિશન 14 દિવસ સુધી ચંદ્રની સપાટી પર સંશોધન કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા