બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
VTV / Open closed doors in Taj Mahal to ascertain presence of Hindu idols: Plea in HC
Hiralal
Last Updated: 10:38 PM, 8 May 2022
તાજમહેલ અનેક રહસ્યો છુપાવીને બેઠો છે. હજુ સુધી તાજમહેલનું પુરેપુરુ રહસ્ય બહાર આવ્યું હતું.આવું જ એક રહસ્ય છતુ કરવા માટે હવે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. હકીકતમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપીઠમાં એક અરજી કરવામાં આવી છે જેમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડીયાને તાજમહેલના 22 બંધ દ્વાર ખોલવા માટે આદેશ આપવાની માગ કરવામાં આવી છે. અરજદારોનું કહેવું છે કે 22 બંધ દ્વારમાં હિંદુઓની મૂર્તિઓ છે કે નહીં તે નક્કી કરવા માટે આવું કરવું જરુરી છે.
Open closed doors in Taj Mahal to ascertain presence of Hindu idols: Plea in HC
— ANI Digital (@ani_digital) May 8, 2022
Read @ANI Story | https://t.co/F2Z6n7Uy5Z#TajMahal #AllahabadHighCourt #Agra #UttarPradesh pic.twitter.com/RTGKWP4LLf
તાજમહેલ મૂળ શિવમંદિર અને તેજોમહેલ છે-અરજદારો
અરજદારોએ એવી પણ માગ કરી કે સત્ય શોધક કમિટીની રચના કરવી જોઈએ. તેમણે કહ્યું કે તાજમહેલના બંધ દ્વારમાં હિંદુ દેવી દેવતાઓની મૂર્તિ લોક કરીને રાખવામાં આવી છે. અરજીમાં કેટલાક ઈતિહાસકારો અને કેટલાક હિંદુ ગ્રુપોના દાવાને પણ ટાંકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તાજમહેલ મૂળ શિવમંદિર હતો અને તેથી તેના બંધ દ્વાર ખોલવા જોઈએ. હિંદુ ગ્રુપો અને સંતો એવો દાવો કરી રહ્યા છે કે તાજમહેલ એક શિવ મંદિર છે તો બીજા કેટલાકનું કહેવું છે કે તાજમહેલ મૂળ તેજોમહેલ છે. તાજમહેલ એક જ્યોર્તિલિંગ દેખાય છે તેવું અરજીમાં જણાવાયું છે.
શુ માગ કરી અરજદારોએ
અરજદારોની માગ છે કે તાજમહેલના 22 બંધ દ્વાર ખોલવાની જરુર છે તેમાં હિંદુ દેવી દેવતાઓની મૂર્તિઓ બંધ કરીને રાખવામાં આવી છે. અરજદારોએ તેમની અરજીમાં એવું જણાવ્યું કે ચાર માળની બિલ્ડિંગમા ઉપલા અને નીચલા ભાગમાં કેટલીક રુમ એવી છે જેને કાયમી ધોરણે બંધ કરી રાખવામાં આવી છે અને પી એન ઓક બીજા ઈતિહાસકારોનું માનવું છે કે લોક કરી રાખવામાં આવેલી રુમમાં ભગવાન શિવની મૂર્તિઓ સાચવી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એવું કહેવાઈ રહ્યું છે સુરક્ષાને કારણે આ રુમ બંધ કરી રાખવામાં આવી છે.
હાઈકોર્ટે હવે આ અરજી પર સુનાવણી કરશે
લખનઉ ખંડપીઠ આ અરજી પર સુનાવણી કરવા તૈયાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો