બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / Only the one who embezzled crores was kidnapped: 6 persons were kidnapped after coming to Ahmedabad, after the investigation-arrest, a big revelation was made.
Vishal Khamar
Last Updated: 07:04 PM, 28 October 2023
રાજકોટમાં કરોડોનું ફૂલેકું ફેરવનાર પ્રદીપ ડાવેરાના અપહરણ મામલે બોપલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જોકે તપાસ દરમિયાન હકીકત સામે આવી કે અપહરણ અને ખંડણી ની બાતમી દુબઈથી આવી હતી. જે બાદ છ લોકોએ અપહરણ કરી 10 કરોડની ખંડણી માગી હતી. જે અંગે ફરિયાદ નોંધાતા બોપલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રદીપ ડવેરાનું છરીની અણીએ અપહરણ કરાયું હતું
અમદાવાદ બોપલ પોલીસે ચાર આરોપી પ્રકાશ ભરવાડ, ભુપત ભરવાડ, શૈલેષ ભરવાડ અને કાંતિલાલ ભેસદડીયા છે. આ ચાર આરોપીઓએ 19 તારીખના રોજ મૂળ રાજકોટના રહેવાસી અને અમદાવાદ સારવાર માટે આવેલા પ્રદીપ ડાવેરાનું અપહરણ કરી દંતાલી પાસે અવાવરું જગ્યાએ લઈ જઈ ગાંધી રાખી 10 કરોડની ખંડણી માંગી હતી. જે ખંડણીની જવાબદારી પ્રદીપના મિત્ર સાગર કુઘસીયા એ સ્વીકારતા તેનો છુટકારો થયો હતો. જે બાદ 26 તારીખે બોપલ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જોકે અન્ય ત્રણ ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે..
મૌલીન દુબઈથી પ્રદીપના અપહરણની ટીપ આપી હતી
અપહરણ અને ખંડણીના ગુનામાં અપહરણ કરનાર આરોપીઓની ધરપકડ થતા પૂછપરછમાં આ ગુનાના અન્ય ત્રણ આરોપી સુરેશ ઉર્ફે ભૂરો જોગાવા, રામભાઈ ભરવાડ અને મોનીલ નાકરાણી ની સંડોવણી સામે આવી છે જેમાં મૌલીન દુબઈથી પ્રદીપનું અપહરણ કરી રૂપિયા માંગવાની ટીપ સુરેશ ઉર્ફે ભૂરો જોગાવાને આપી હતી જે બાદ તમામ આરોપીએ ભેગા મળી તેનું અપહરણ કરી ગોંધી રાખી ખંડણી વસૂલવા તેને માર પણ માર્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું કે અપહ્યુત પ્રદીપ. ટીપ આપનાર મોનીલ અને અપહરણમા સંડોવાયેલ કાંતિભાઈ અગાઉ ભાગીદારો હતા. અને 2015માં રાજકોટ માં આશિષ ક્રેડિટ સોસાયટી શરૂ કરી હતી જે કોરોનામાં બંધ થતા કરોડોનુ ફૂલેકું ફેરવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેથી અપહરણ કયા કારણોસર કરવામાં આવ્યું તેની પોલીસ તપાસ કરી રહી છે.
ફરીયાદી તેમજ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
મહત્વનું છે કે ફરિયાદી અને આરોપી તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ફરિયાદી વિરુધ્ધ રાજકોટ અને જામનગરમાં કરોડોનું ફૂલેકું ફેરવવા બદલ ફરિયાદ નોંધાવી હતી. સાથે જ ઝડપાયેલા તથા ફરાર આરોપીઓ વિરુદ્ધ પણ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે. અને કાર્યવાહી કરવામાં આવી છે. જો કે હજી સુધી કયા કારણોસર અપહરણ કરવામાં આવ્યું અને ખંડણી માંગવામાં આવી તે હકીકત સામે આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime