બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / Ominous day on the first day of flight, tourists barely escaped at Delhi airport, find out what happened
Hiralal
Last Updated: 03:23 PM, 28 March 2022
ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ થયાના પહેલા જ દિવસે અપશુકન થયા છે. સરકારે 27 માર્ચથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરી છે તેથી 28 માર્ચથી તમામ પ્રકારની ફ્લાઈટ શરુ થઈ રહી છે પરંતુ તે પહેલા જ એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. દિલ્હી એરપોર્ટ પર વધુ એક વાર મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. પુશઅપ દરમિયાન સ્પાઈસજેટનું એક વિમાન વીજળીના થાંભલા સાથે જોરદાર રીતે ટકરાયું હતું જેને કારણે વીજળીનો આખો થાંભલો વળી ગયો હતો.
Today, SpiceJet flight SG 160 was scheduled to operate between Delhi & Jammu. During push back, the right-wing trailing edge came in close contact with a pole, causing damage to aileron. A replacement aircraft has been arranged to operate the flight: SpiceJet Spokesperson. pic.twitter.com/oZ7rPQYhoB
— ANI (@ANI) March 28, 2022
ઘટના બની ત્યારે આખું વિમાન પ્રવાસીઓથી ભરેલું હતું
દિલ્હી એરપોર્ટ પર આ ઘટના બની ત્યારે સ્પાઈસજેટનું આખુ વિમાન પ્રવાસીઓથી ભરેલું હતું.એવે તો સારા નસીબ કે બધા પ્રવાસીઓ બચી ગયા.જરા મોડું થયું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
પુશઅપ દરમિયાન વિમાન વીજળીના થાંભલા સાથે ટકરાયું
સ્પાઈસજેટના વિમાનને જ્યારે ટર્મિનલ પરથી રનવે પર લઈ જવાઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. વિમાન એટલી જોરથી થાંભલા સાથે ટકરાયું કે તેમાં બેઠેલા પ્રવાસીઓના જીવ પડીકે બંધાયા હતા પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ઊની આંચ આવી નથી.તમામ પ્રવાસીઓ સલામત છે. આ ઘટના બાદ તમામ પ્રવાસીઓને બીજા વિમાનમાં શિફ્ટ કરી દેવાયા હતા.
તમામ પ્રવાસીઓને બીજા વિમાનમાં લઈ જવાયા
સ્પાઈસજેટના પ્રવક્તાએ કહ્યું કે આજે સ્પાઈસજેટની ફ્લાઈટ એસજી 160 દિલ્હીથી જમ્મુ જવાની હતી. પુશબેક દરમિયાન રાઈટ વિંડની ટ્રેલિંગનો એક ખૂણો વીજળીના થાંભલા સાથે ટકરાયો હતો જેને કારણે વિમાનને નુકશાન થયું.વીજળીનો આખો થાંભલો વળી ગયો હતો. પ્રવાસીઓને બીજા વિમાનમાં બેસાડી દેવાયા હતા.
આજથી તમામ ફ્લાઈટ રાબેતા મુજબ શરુ થઈ છે
ઉલ્લેખનીય છે કે આજથી દેશ અને વિદેશમાં તમામ ફ્લાઈટ હમેંશ મુજબ શરુ થઈ છે. પરંતુ પહેલા જ દિવસે મોટી દુર્ઘટના ટળવી એક અપશુકન સમાન છે. દિલ્હી એરપોર્ટ પર આ પહેલા પણ અનેક વાર આવી દુર્ઘટના થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime