બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Not the elderly, now the young are getting brainstroke, this mistake is the biggest reason, shocking data from AIIMS
Megha
Last Updated: 12:22 PM, 17 January 2024
સ્ટ્રોક જે પહેલા વૃદ્ધોનો રોગ ગણાતો હતો તે હવે ધીમે ધીમે યુવાનોને તેનો શિકાર બનાવી રહ્યો છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, AIIMSના ન્યુરોલોજી વિભાગમાં દાખલ 20 વર્ષથી ઓછી ઉંમરના દર 100 દર્દીઓમાંથી બેને સ્ટ્રોક આવ્યો છે.છેલ્લા એક વર્ષમાં છ સગીર દર્દીઓને સ્ટ્રોકના કારણે દાખલ કરવામાં આવ્યા છે, જે ચિંતાજનક આંકડા છે.
ડૉક્ટર્સનું કહેવું છે કે આ દર્દીઓમાં મુખ્ય કારણ હાઈ બ્લડ પ્રેશર હતું, જે સામાન્ય રીતે કોઈપણ ચેતવણી વિના થાય છે. 21 થી 45 વર્ષની વયના યુવાન વયસ્કોમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં એક વર્ષમાં 300 દર્દીઓમાંથી 77 દર્દીઓને સ્ટ્રોકના કારણે દાખલ કરવામાં આવ્યા હતા.
એક રિપોર્ટ અનુસાર AIIMSના પ્રોફેસરે જણાવ્યું કે ઉપલબ્ધ માહિતી અનુસાર, AIIMSમાં પહેલીવાર સ્ટ્રોકના દર્દીઓમાં હાઈ બ્લડ પ્રેશરના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. પાંચ વર્ષ પહેલા AIIMS દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં કુલ 260 દર્દીઓમાંથી 65 ટકામાં હાઈ બ્લડ પ્રેશર જોવા મળ્યું હતું. સાથે જ એમનું કહેવું છે કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ધુમ્રપાન અને બેઠાડુ જીવનશૈલી જેવા જોખમી પરિબળોને નિયંત્રિત કરીને 85 ટકા સ્ટ્રોકને રોકી શકાય છે.
સ્ટ્રોક માટે જોખમી પરિબળો વિશે વાત કરતાં એમને કહ્યું કે જેમ કે હૃદયની સમસ્યાઓ જેમ કે ડાયાબિટીસ, સ્થૂળતા, ધૂમ્રપાન, દારૂનું સેવન અને શારીરિક રીતે સક્રિય ન રહેવા પર ભાર મૂકવામાં આવે છે, જે સ્ટ્રોકના 50 ટકાથી વધુ કેસ માટે જવાબદાર છે. જો કે, કેટલાક બિન-પરંપરાગત જોખમી પરિબળો જેમ કે સ્ટ્રેસ, ડ્રગ્સનો દુરુપયોગ, ઊંઘનો અભાવ અને ડિપ્રેશન લગભગ 40 થી 50 ટકા કિસ્સાઓમાં સ્ટ્રોકનું કારણ બને છે. આ સિવાય ગરદનમાં ધક્કો લાગવો, ગરદન અચાનક વળી જવી, જીમમાં રિવર્સ નેક એક્સરસાઇઝને કારણે પણ સ્ટ્રોકના નવા કેસ નોંધાઈ રહ્યા છે.
વધુ વાંચો: મોટાપાને દૂર કરવા આજથી જ અપનાવો આ ઉપાય, રોજ રાત્રે સૂતા પહેલાં બસ આટલું કરો, મળશે રિઝલ્ટ
સ્ટ્રોકથી બચવા વિશે વાત કરતાં એમને કહ્યું એક બ્લડ પ્રેશરને નિયમિતપણે મોનિટર કરવું જોઈએ. તેમણે કહ્યું કે આ આદત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવી શકે છે. સાથે જ સ્મોકીંગ એટલે કે ધુમ્રપાન ન કરવું જોઇએ. સ્ટ્રોક આવવા પાછળ તે સૌથી વધુ જવાબદાર છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો