બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
VTV / Noah violence: Transfer of SP, bulldozer on Rohingya illegal occupation, 93 FIRs, 176 arrested
Priyakant
Last Updated: 10:29 AM, 4 August 2023
હરિયાણામાં હિંસાના આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વિગતો મુજબ અત્યાર સુધીમાં 5 જિલ્લામાં 93 FIR નોંધાઈ છે. 176 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એકલા નૂહમાં 46 એફઆઈઆર નોંધાઈ છે. સોમવારે નૂહમાં નીકળેલા સરઘસ પર પથ્થરમારો થયા બાદ જ બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ સિવાય નુહના એસપી વરુણ સિંગલાની પણ બદલી કરવામાં આવી છે.
મહત્વનું છે કે, શોભાયાત્રા પહેલા વરુણ સિંગલા રજા પર ઉતરી ગયા હતા. તેમની જગ્યાએ નરેન્દ્ર બિજરનિયા નવા એસપી બનશે. આ સાથે બિટ્ટુ બજરંગી પર વાયરલ વીડિયોના સંબંધમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયેલા 2300 વીડિયોની ઓળખ કરી છે. પોલીસનું માનવું છે કે આ વીડિયોએ હિંસા ભડકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Nuh SP transferred after incidents of violence, replaced by his Bhiwani counterpart
— ANI Digital (@ani_digital) August 4, 2023
Read @ANI Story | https://t.co/VcESjhlZnv#NuhViolence #SPTransfer #Haryana pic.twitter.com/Mcf9NLBeqe
ક્યાં કેટલી FIR?
હરિયાણામાં હિંસા બાદ નુહ 46, ફરીદાબાદ 3, ગુરુગ્રામ 23, પલવલ 18, રેવાડી 3 ફરિયાદ નોંધાઈ છે. આ સાથે 176 લોકોની ધરપકડ પણ કરાઇ છે.
હરિયાણાના મેવાત-નુહમાં રમખાણો બાદ હવે પોલીસ સફાળી જાગી છે. રમખાણોની પ્રારંભિક તપાસ બાદ પોલીસે રોહિંગ્યાઓ અને નૂહમાં ગેરકાયદે ઘૂસણખોરો વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તાવડુ રોહિંગ્યાઓના ગેરકાયદે કબજા અને ગેરકાયદે ઘૂસણખોરો પર બુલડોઝર ચલાવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો હિંસામાં સામેલ હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ રોહિંગ્યાઓએ હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. આટલું જ નહીં પ્રારંભિક તપાસમાં આ લોકો હિંસામાં સામેલ હોવાનું જણાયું હતું. આવી સ્થિતિમાં પોલીસે ગુરુવારે સાંજે ગેરકાયદેસર અતિક્રમણ પર બુલડોઝર ફેરવી દીધું હતું.
#WATCH | Increased security maintained in Haryana's Nuh amid curfew imposed after violent clashes between two groups on July 31 pic.twitter.com/CNB4KKaTCr
— ANI (@ANI) August 4, 2023
સોશિયલ મીડિયા પર ઉશ્કેરણી કરનારાઓ પર કાર્યવાહી
નુહ પોલીસે તણાવ ફેલાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આ મામલે 7 FIR નોંધી છે. આમાંથી ત્રણ શાહિદ, આદિલ ખાન મન્નાકા અને શાયર ગુરુ ઘંટાલ નામના યુઝર્સ પર કરવામાં આવ્યા છે. FIR મુજબ શાહિદ નામના યુઝરે 5 પોસ્ટ કરી હતી. જ્યારે એક આદિલ અને 2 શાયર ગુરુ ઘંટાલ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ માને છે કે તેણે હિંસા ભડકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટને લઈને કલમ-153, 153A, 295A, 298, 504, 109 અને 292 હેઠળ FIR દાખલ કરી છે. જોકે પોલીસે હજુ સુધી એ ખુલાસો કર્યો નથી કે શાયર ગુરુ ઘંટાલ નામનું એકાઉન્ટ કોણ ચલાવતું હતું. પોલીસ આવા લગભગ 2300 વીડિયોની તપાસ કરી રહી છે, જે હિંસા ફેલાવવા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
#WATCH | Accused arrested by the Police in connection with the recent violence in Nuh, Haryana being taken to the Court. pic.twitter.com/0F5hhvkfuz
— ANI (@ANI) August 3, 2023
હરિયાણામાં અર્ધલશ્કરી દળોની 24 કંપનીઓ તૈનાત
હરિયાણા સરકારના ગૃહના અધિક મુખ્ય સચિવ ટીવીએસએન પ્રસાદે લોકોને ખાતરી આપી કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહી છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા પ્રવૃતિઓનો સામનો કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે સરકાર પર્યાપ્ત દળો સાથે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે, રાજ્યભરમાં અર્ધલશ્કરી દળોની 24 કંપનીઓ તૈનાત છે. નૂહમાં કર્ફ્યુ ચાલુ છે. આ સિવાય ઇન્ટરનેટ પણ બંધ છે. નૂહ સિવાય ફરીદાબાદ, પલવલ, સોહના, પટૌડી અને ગુરુગ્રામના માનેસરમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે નૂહ, સોહના અને ગુરુગ્રામમાં મુસ્લિમ સમુદાયે ઘરે જ નમાઝ અદા કરવાનો નિર્ણય લીધો છે.
Accused arrested by the Police in connection with the recent violence in Nuh, Haryana being taken to the Court. pic.twitter.com/wZ3rmGFzDy
— ANI (@ANI) August 3, 2023
નૂહમાં શોભાયાત્રા દરમિયાન ફેલાઈ હતી હિંસા
નોંધનીય છે કે, હરિયાણાના મેવાત-નુહમાં 31મી જુલાઈએ બ્રિજ મંડળ યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન યાત્રા પર પથ્થરમારો થયો હતો. થોડા જ સમયમાં તે બે સમુદાયો વચ્ચે હિંસામાં ફેરવાઈ ગયું. સેંકડો કારને આગ ચાંપવામાં આવી હતી. સાયબર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. બદમાશોએ પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો. નૂહ બાદ સોહનામાં પણ પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આ પછી હિંસાની આગ નૂહથી ફરીદાબાદ-ગુરુગ્રામ સુધી ફેલાઈ ગઈ. નૂહ હિંસામાં બે હોમગાર્ડ સહિત 6 લોકોના મોત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો