બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
Priyakant
Last Updated: 09:27 AM, 4 February 2024
Maharashtra Political Crisis : મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવાર જૂથના મંત્રી છગન ભુજબળે ખુલાસો કર્યો હતો કે, ગયા વર્ષે નવેમ્બરમાં તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ તરફ છગન ભુજબળે રાજ્ય સરકાર પર મરાઠા સમુદાયને OBC ક્વોટામાં બેકડોર એન્ટ્રી આપવાનો આરોપ લગાવ્યો છે.
અહમદનગરમાં એક રેલીને સંબોધતા NCPના નેતા ભુજબળે કહ્યું કે, તેઓ મરાઠાઓને અનામત મળવાની વિરુદ્ધ નથી, પરંતુ હાલના OBC ક્વોટાને વહેંચવાની વિરુદ્ધ છે. તેમણે કહ્યું, ઘણા વિપક્ષી નેતાઓ, મારી સરકારના નેતાઓ પણ કહે છે કે, મારે રાજીનામું આપી દેવું જોઈએ. કોઈએ કહ્યું કે ભુજબળને કેબિનેટમાંથી બરતરફ કરી દેવા જોઈએ.
16 નવેમ્બરે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું
છગન ભુજબળે કહ્યું, હું વિપક્ષ, સરકાર અને મારા પક્ષના નેતાઓને કહેવા માંગુ છું કે,17 નવેમ્બરે અંબાડમાં આયોજિત OBC એલ્ગાર રેલી પહેલા મેં 16 નવેમ્બરે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું અને તે પછી હું કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો. ભુજબળે વધુમાં કહ્યું કે, તેઓ બે મહિનાથી વધુ સમય સુધી મૌન રહ્યા કારણ કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ તેમને આ અંગે બોલવાની મનાઈ કરી હતી. OBC નેતાએ કહ્યું, બરતરફીની કોઈ જરૂર નથી, મેં મારું રાજીનામું આપી દીધું છે. હું OBC માટે અંત સુધી લડીશ.
છગન OBC ક્વોટામાંથી મરાઠાઓને અનામત આપવાની વિરુદ્ધ
વાત જાણે એમ છે કે, મરાઠા આરક્ષણની માંગને પૂર્ણ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર માત્ર OBC ક્વોટામાંથી જ મરાઠાઓને અનામત આપવા માંગે છે. આ અંગે છગન ભુજબળ સતત વિરોધ કરી રહ્યા છે. જે બાદ સરકારમાં સામેલ નેતાઓએ તેમના રાજીનામાની માંગ કરી હતી. આ અંગે છગન ભુજબળે આ નિવેદન આપ્યું છે. ભુજબળે સરકાર પર મરાઠા આરક્ષણના નેતા મનોજ જરાંગેની માંગને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો હતો. એકનાથ શિંદેના ધારાસભ્યએ કહ્યું હતું કે, સમાજમાં તિરાડ ઊભી કરવાનો પ્રયાસ કરવા બદલ ભુજબળને બરતરફ કરવા જોઈએ.
અમે મરાઠા સમુદાયનો વિરોધ નથી કરતાઃ ભુજબળ
ભુજબળે કહ્યું, અમે મરાઠા સમુદાય માટે આરક્ષણનો વિરોધ નથી કરતા, તેમને અલગ અનામત આપવી જોઈએ. અમારા (OBC) ક્વોટા હેઠળ આપશો નહીં, પરંતુ તેઓ (મનોજ જરાંગે) કહે છે કે, તેને ઓબીસી ક્વોટા હેઠળ આપો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, સર્વેક્ષણ દ્વારા મરાઠા સમુદાયના પછાતને નક્કી કરવા માટે રાજ્ય પછાત વર્ગ આયોગ દ્વારા ડેટા એકત્રિત કરવાની પ્રક્રિયામાં ખામી હતી. તેમણે કહ્યું કે, રાજ્યની વસ્તીમાં OBC 54-60 ટકા, SC/ST 20 ટકા અને બ્રાહ્મણો 3 ટકા છે, તેમ છતાં તમામ ધારાસભ્યો અને સાંસદોને મરાઠા મતો ગુમાવવાનો ડર છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો