બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Nature rages in Chardham, heavy snowfall in Kedarnath: 21 people have died so far
Vishal Khamar
Last Updated: 04:41 PM, 9 May 2023
ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ કેદારનાથ અને બદ્રીનાથ ધામ માટે ભક્તોની ભીડ સતત બાબાના દરબાર પર પહોંચી રહી છે. વરસાદ, બરફવર્ષા અને ઠંડી લોકોને રોકી શકી નથી. લોકોની આસ્થા આ બધી બાબતો પર ભારે પડી રહી છે. ચારધામમાં યાત્રીઓએ અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, છતાં તેઓ બાબાના દરબારમાં પહોંચી રહ્યા છે. સતત ચારધામમાં પહોંચી રહેલા શ્રદ્ધાળુઓએ હેલ્થ ઇશ્યૂના કારણે જીવ પણ ગુમાવવા પડ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીનાં પગલે લેવાયા
અત્યાર સુધી ચારધામ યાત્રા રૂટ પર ૨૧ શ્રદ્ધાળુઓ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. તેમાં કેદારનાથમાં આઠ યાત્રી, યમુનોત્રીમાં છ, ગંગોત્રીમાં ચાર, બદરીનાથમાં ત્રણ યાત્રીઓએ જીવ ગુમાવવા પડ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે વિભાગે ૮૦,૦૦૦ યાત્રીઓનું સ્ક્રીનિંગ કર્યું છે અને ૫૫થી વધુ ઉંમરના તમામ લોકોનું સ્ક્રીનિંગ થઇ રહ્યુ છે. સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓનું માનવું છે કે આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થાઓ છે. ચારધામ યાત્ર દરમિયાન શ્રદ્ધાળુઓએ અલગ અલગ કારણોસર જીવ ગુમાવવો પડ્યો છે.
યાત્રાળુઓને ઘસારો જોતા તમામ રેકોર્ડ તૂટવાની સંભાવના
૧૧ દિવસમાં ૧.૧૮ લાખ લોકોએ બદરીનાથ ધામની યાત્રા કરી છે. અહીં હવામાન ખરાબ હોવાથી યાત્રા રોકી દેવામાં આવી હતી. દરરોજ બદ્રીનાથમાં બપોર પછી હવામાન બગડી રહ્યું છે. કડકડતી ઠંડી પડી રહી છે. સૂરજ નીકળે ત્યારે યાત્રાળુઓને ઠંડીમાં રાહત મળે છે. આ વખતે યાત્રાળુઓનો ધસારો જોતાં દર્શનાર્થીઓનો અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટવાની સંભાવના છે. અત્યાર સુધી ચાર ધામ યાત્રા પર પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચી ચુક્યા છે. કેદારનાથમાં સોમવારે ૧૬૦૦૦ યાત્રીઓ પહોંચ્યા હતા, જ્યારે બદરીનાથ ધામમાં ૧૦,૦૦૦ લોકોએ દર્શન કર્યાં હતાં. દરરોજ ૧૩૦૦૦થી વધુ યાત્રીઓ પહોંચી રહ્યા છે. અત્યાર સુધી ૧,૩૨,૫૫૨ તીર્થયાત્રી બદરીનાથ ધામ પહોંચી ચુક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો