બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભૂલથી પણ આ દિવસે નખ ના કાપતા, નહીંતર ઘરમાં આવી જશે દરિદ્રતા, નહીં રહે લક્ષ્મીનો વાસ!

માન્યતા / ભૂલથી પણ આ દિવસે નખ ના કાપતા, નહીંતર ઘરમાં આવી જશે દરિદ્રતા, નહીં રહે લક્ષ્મીનો વાસ!

Last Updated: 09:44 AM, 12 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાથ અને પગના નખ વધે એટલે એને કાપવા પડે એ એક સામાન્ય વાત છે, પણ શું તમે જાણો છો કે નખ ક્યારે ના કાપવા જોઈએ તેને લઈને પણ એક માન્યતા પ્રવર્તે છે. જો તમે અમુક દિવસે નખ કાપો છો તો ઘરમાં દરિદ્રતા આવી શકે છે.

હાથ-પગના નખ વધવા એ એક સામાન્ય ઘટના છે. અને તેને કાપવા પણ જરૂરી હોય છે. પણ તમે પણ ઘરમાં ઘણીવાર વડીલોના મોઢે સાંભળ્યું હશે કે આ દિવસે નખ ના કપાય, આ સમયે નખ ના કપાય. તેની પાછળ તેમનો અનુભવ અને જ્યોતિષ વિજ્ઞાન હોય છે. કહેવાય છે કે ખોટ સમયે અને દિવસે નખ કાપવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.

આ 3 દિવસે ના કાપવા જોઈએ નખ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવાર હનુમાનજીની ભક્તિનો દિવસ છે જો આ દિવસે તમે નખ કાપો છો તો તમારું પરાક્રમ અને સાહસ ઓછું થઈ જે છે અને ભાઈ -બહેનો સાથે મનભેદ થાય છે. તેવી જ રીતે ગુરુવારનો દિવસ દેવ ગુરુનો મનાય છે આ દિવસે નખ કાપવાથી પેટને લગતી સમસ્યાઑ થાય છે અને સાથે જ અભ્યાસમાં અડચણ આવે છે અને જ્ઞાન ઓછું થાય છે. અને શનિવાર શનિદેવને સમર્પિત છે , આ દિવસે નખ કાપવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને તમારા કામ અટકવા લાગે છે.

આ સમયે ના કાપવા જોઈએ નખ

આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિએ રાતે પણ નખ કાપવાનું ટાળવું જોઈએ. એવું કહેવાય છે કે આ સમય એવો હોય છે જ્યારે લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે , આ સમય પૂજા-પાઠનો હોય છે એટલે આ સમયે ઘર્મઆ દિપક કરીને તેમનું સ્વાગત કરવું જોઈએ. જો તમે આ સમયે નખ કાપો છો તો તે નારાજ થઈને પાછા જતાં રહે છે અને ઘરની તમામ સુખ-સમૃદ્ધિ ઓછી થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.

વધુ વાંચો: 2025 શરૂ થતાં જ આ તારીખે થશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, જાણો કઇ-કઇ રાશિ પર કેવો પડશે પ્રભાવ

નખ કાપવાનો દિવસ અને સમય

તમે મંગળ, ગુરુ અને શનિ સિવાય કોઈ પણ દિવસે નખ કાપી શકો છો. પરંતુ નખ હંમેશા દિવસના સએ કાપવા. નાહ્યા પછી નખ થોડા મુલાયમ થઈ જે છે આથી આ સમયે તેને કાપવા સારા. નખ કાપીને તેને કચરાપેટીમાં નાખો અને ત્યારબાદ ફરી હાથ ધોવાનું ના ચૂકશો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Devi Lakshmi Religion Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ