બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Kishor
Last Updated: 04:03 PM, 22 July 2023
નાગિન શોથી જાણીતી બનેલી મૌની રોય પોતાના પતિ સુરજ નાંબિયારની સાથે દુબઇમાં ભવ્ય લાઇફ જીવી રહી છે. એવામાં અચાનક રિપોર્ટ મળી રહ્યાં છે કે મૌની રોય હોસ્પિટલમાં ભર્તી થઇ ગઇ છે. આ સમાચાર ખુદ મૌની રોયે પોતાના ફેન્સને સોશિયલ મીડિયા મારફતે જણાવી કન્ફર્મ કર્યા હતા.
મૌનીએ એક પોસ્ટ કરી જણાવ્યું કે...
મૌની રોયે પોતાના ફેન્સને પોતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી એક ચોંકાવનારી માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પર મૌનીએ જણાવ્યું કે હવે તે ખુબ જ શાંતિનો અનુભવ કરી રહી છે. છેલ્લા 9 દિવસથી તે હોસ્પિટલમાં હતી. મૌનીએ એક પોસ્ટ કરી જેમાં તેઓએ પોતાના દિલ સાથે જોડાયેલા લોકો સંગ ખાસ તસવીરો શેર કરી અને ભાવુક પોસ્ટ શેર કરી છે. મૌનીએ પોતાના પતિ સૂરજ નાંબિયારને લઇને ખુબ જ ખાસ વાત લખી હતી. જેમાં તેણીએ જણાવ્યું કે જ્યારે હોસ્પિટલમાં પહોંચી ત્યારથી તેના પતિ તેની સાથે સતત ઉભા રહ્યાં જેનાથી તે ખુબ જ આનંદ અનુભવ્યો હતો.
સારા દોસ્તોનો આભાર માનુ છું
મૌનીને ઓવરથીંકીંગને પગલે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે, જોકે આ મામલે હજુ સુધી સત્તાવાર કારણ બહાર આવ્યું નથી, પણ મૌનીના જણાવ્યા અનુસાર હું હજુ પણ એ વિચારી રહી છું કે જેટલી કોઇ અંગે વિચારીને અશાંત હતી. અત્યારે શાંતિમાં છું. એ જણાવતા મને ખુશી થઇ રહી છે કે હું ઘરે પરત આવી ગઇ છું. અત્યારે સ્લો રિકવરી થઇ રહી છે. પરંતુ સારી સ્થિતિમાં છું. દરેક ભુલ બાદ સારા જીવન તરફ. હું મારા નજીકના અને ખુબ જ સારા દોસ્તોનો આભાર માનુ છું જેઓએ આ સમયે મારી દેખભાળ કરી હતી,
ફેન્સ તેને ઝડપથી સાજા થવાની દુઆ માગી રહ્યાં છે
વધુમાં મને ખુબ જ પ્રેમ પાઠવ્યો. તો તેણીએ પતિ સુરજ નાંબિયાર માટે કહ્યું કે તમારા જેવા કોઇ નથી. હું હંમેશા તમારી આભારી રહીશ ઓમ નમ શિવાય.મૌનીની આ પોસ્ટને જોઇને તેના ફેન્સ તેને ઝડપથી સાજા થવાની દુઆ માગી રહ્યાં છે. ફેન્સ તેના માટે ગેટ વેલ સુન મેસેજ લખી રહ્યાં છે. જેમાં કોઇએ કહ્યું કે હું પ્રાર્થના કરીશું કે તમારી તબિયત ઝડપથી સારી થઇ જશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો