બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Morbi State Government announces compensation of Rs 4 lakh Central Government Rs 2 lakh to the dead
Kishor
Last Updated: 10:42 PM, 30 October 2022
મોરબીમાં આજે હૈયું હચમચાવી દેતી ગોઝારી દુર્ઘટના બની છે. ઝુલતો પુલ તુંટતા અનેક લોકો નદીમાં ખાબક્યા હતા. જેમાં 60 જેટલા લોકોના મોત નીપજ્યું હોવાનું સામે આવું છે, જેને લઇને દેશ આખામાં હાહાકાર મચી ગયો છે. ત્યારે મોરબીમાં દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના નજીકના સંબંધીઓને કેન્દ્ર સરકાર દ્વારા PMNRF તરફથી 2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં રાજ્ય સરકાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયાની સહાય અને દુર્ઘટનામાં ઘાયલોને લોકોને રૂ. 50,000ની જાહેરાત કરાઇ છે.
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each of those who lost their lives in the mishap in Morbi. The injured would be given Rs. 50,000.
— PMO India (@PMOIndia) October 30, 2022
મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 30, 2022
CM ભૂપેન્દ્ર પટેલે તંત્રને તાત્કાલિક મોટા આદેશ આપ્યા
મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા સ્થાનિક તંત્ર અને તરવૈયાઓની મદદથી અસરગ્રસ્તોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મોરબીની 10, રાજકોટની 8 એમ્બ્યુલન્સને મોરબી ખાતે મોકલી દેવામાં આવી છે. વધુમાં CM ભૂપેન્દ્ર પટેલે તંત્રને તાત્કાલિક મોટા આદેશ આપ્યા છે. ગાંધીનગરથી NDRFની 2 ટીમ મોરબી રવાના થઇ છે. એટલુ જ નહિ મોરબીની દુર્ઘટનાને પગલે પ્રધાનમંત્રી સાથેના આગળના કાર્યક્રમોને ટૂંકાવીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર રવાના થયા છે. તથા ગૃહ રાજ્યમંત્રીને સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું માર્ગદર્શન કરવા જણાવ્યું છે. SDRF સહિતની ટૂકડીઓને બચાવ કામગીરી માટે મોબીલાઈઝ કરવામાં આવી છે.
ઓરેવા ટ્રસ્ટ પાસે છે પુલની મેન્ટેનન્સ અને રીપેરીંગની સમગ્ર જવાબદારી
મોરબીની મચ્છુ નદી પર રજવાડાના સમયમાં પ્રજાવત્સલ રાજા સર વાઘજી ઠાકોર દ્વારા લાકડા અને વાયરના આધારે ૨૩૩ મીટર લાંબો અને ૪.૬ ફૂટ પહોળો ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો જેનો ઉપયોગ પહેલાના સમયમાં રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા પરંતુ સમય જતા આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોપવામાં આવી હતી.પાલિકા દ્વારા ઓરેવા ટ્રસ્ટને આગામી ૧૫ વર્ષ સુધી આ પુલની મેન્ટેનન્સ અને રીપેરીંગની સમગ્ર જવાબદારી સોંપમાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો