બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Manisha Jogi
Last Updated: 07:32 PM, 7 July 2023
ફિલ્મ અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીના માતાનું આજે નિધન થયું છે. મિથુન ચક્રવર્તી અને તેમની માતા સાથે રહેતા હતા. મિથુન ચક્રવર્તીના માતાના નિધન પર બંગાળ ભાજપથી લઈને સત્તાધારી TMC નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.
21 એપ્રિલ 2020ના રોજ મિથુન ચક્રવર્તીના પિતા વસંત કુમાર ચક્રવર્તીનું 95 વર્ષે નિધન થયું હતું. મિથુન ચક્રવર્તીના પિતાની કિડની ફેઈલ થતા નિધન થયું હતું અને આજે તેમણે તેમના માતાને પણ ગુમાવી દીધા છે.
મિથુન ચક્રવર્તી એક સમયે તેમના માતા પિતા અને 4 ભાઈ બહેન સાથે કલકત્તાના જોડાબાગાન વિસ્તારમાં રહેતા હતા. મિથુન ચક્રવર્તીએ એક્ટિંગની દુનિયામાં ઓળખ મેળવતા માતા પિતાને સાથે લઈ ગયા હતા.
મિથુન ચક્રવતી મુંબઈમાં રહેતા હતા, ત્યારે તેમની માતાને સાથે લઈ ગયા હતા. ત્યારથી તેમના માતા શાંતિરાની ચક્રવર્તી મુંબઈમાં જ રહેતા હતા. બંગાળ ભાજપ તરફથી મિથુન ચક્રવર્તીની માતા નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.
અનેક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો
થોડા દિવસ પહેલા મિથુન ચક્રવર્તીએ ‘ડાંસ બાંગ્લા ડાંસ’ના સેટ પર તેમના દિવંગત પિતાને શ્રદ્ધાંજલી આપતા જોવા મળ્યા હતા. બંગાળ ભાજપે ટ્વિટ કર્યું છે કે, ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતિના સભ્ય, વરિષ્ઠ ભાજપ નેતા મિથુન ચક્રવર્તીના માતાનું નિધન થયું છે. આ કઠિન પરિસ્થિતિમાં ભાજપ પરિવાર તેમની સાથે છે. TMC પ્રવક્તા કૃણાલ ઘોષે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. રાજનૈતિક મતભેદ ભૂલીને કૃણાલ ઘોષે મિથુન ચક્રવર્તીના કઠિન સમય પર શોક વ્યક્ત કર્યો છે.
মাতৃবিয়োগের জন্য মিঠুন চক্রবর্তীকে জানাই আন্তরিক সমবেদনা। আশা করি মিঠুনদা ও তার পরিবার এই গভীর শোক সামলে উঠবে।
— Kunal Ghosh (@KunalGhoshAgain) July 7, 2023
મિથુન ચક્રવતી ભાજપમાં શામેલ થયા
વિધાનસભા ચૂંટણી દરમિયાન મિથુન ચક્રવતી કલકત્તાના બ્રિગેડ મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીમાં ભાજપમાં શામેલ થયા હતા. તેમને ભાજપ કાર્યકારિણીના સભ્ય પણ બનાવવામાં આવ્યા હતા. મિથુન ચક્રવતીએ અનેક વિસ્તારની મુલાકાત લીધી હતી અને પંચાયત ચૂંટણી પહેલા ભાજપ કાર્યકર્તાઓને સંગઠિત કરી રહ્યા હતા, પરંતુ પંચાયત ચૂંટણી દરમિયાન પ્રચાર કર્યો નહોતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime