બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Priyakant
Last Updated: 09:37 AM, 28 January 2024
Delhi News : રાજધાની દિલ્હીથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે રાત્રે દિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં લગભગ 16 લોકો ઘાયલ થયા હતા અને 45 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટના રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે આયોજકો વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હીના કાલકાજી મંદિરમાં 26 જાન્યુઆરીએ માતાજીના જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગરણમાં રાત્રે લગભગ 12.30 વાગ્યે 1500 થી 1600 લોકોની ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન ભીડ આયોજકો અને VIPના પરિવારજનોને બેસવા માટે બનાવેલા સ્ટેજ પર ચઢી ગઈ હતી ત્યારબાદ સ્ટેજ નીચે પડી ગયો હતો. આ અકસ્માતમાં સ્ટેજ નીચે બેઠેલા 17 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
#WATCH | Delhi | 17 people injured and one died when a platform, made of wood and iron frame, at a Mata Jagran at Mahant Parisar, Kalkaji Mandir collapsed at midnight on 27-28 January. Case registered against the organisers.
— ANI (@ANI) January 28, 2024
(Video: Viral visuals confirmed by Police) https://t.co/r6bE9dh3ds pic.twitter.com/xJgJ0wSdqB
અકસ્માતમાં મહિલાનું મોત
પોલીસે જણાવ્યું કે,અકસ્માતમાં ઘાયલ 45 વર્ષીય મહિલાને બે લોકો ઓટોમાં મેક્સ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. જોકે હજુ સુધી મહિલાની ઓળખ થઈ શકી નથી. આ તરફ અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
#WATCH | Delhi | 17 people injured and one died when a platform, made of wood and iron frame, at a Mata Jagran at Mahant Parisar, Kalkaji Mandir collapsed at midnight on 27-28 January. Case registered against the organisers.
— ANI (@ANI) January 28, 2024
(Video: Viral visuals confirmed by Fire Department) https://t.co/r6bE9dh3ds pic.twitter.com/haaC9TZe4D
સિંગર બી પ્રાકને જોવા માટે આવી પહોંચી હતી ભીડ
આ તરફ હવે એવું સામે આવ્યું છે કે, આ જાગરણમાં બોલિવૂડના પ્રખ્યાત સિંગર બી પ્રાક પહોંચ્યા હતા, તેમને જોવા માટે ભીડ ઉમટી પડી હતી. દરમિયાન મંદિર પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી. બી પ્રાકે કહ્યું કે, હું કાલકાજી મંદિર ગયો હતો જ્યાં અકસ્માત થયો હતો. લોકોને નુકસાન થયું છે, મને આશા છે. જેઓ ઘાયલ છે તેઓ જલદી સ્વસ્થ થઈ જાય. તેમણે એમ પણ કહ્યું કે, મેનેજિંગ લોકોએ કાળજી લેવી જોઈએ.
કાર્યક્રમના આયોજનની પરવાનગી જ નહોતી
પોલીસ એમ પણ કહે છે કે, આ કાર્યક્રમના આયોજન માટે કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી. જો કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે આયોજકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 337/304 A/188 હેઠળ કેસ નોંધ્યો છે અને મામલાની તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime