બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Lord Krishna drowned Dwarka city can be seen in the sea, government is going to start a new project

સબમરીન પ્રોજેક્ટ / સમુદ્રમાં ડૂબી ગયેલ શ્રી કૃષ્ણની દ્વારકા નગરીના કરી શકાશે દર્શન, સરકાર શરૂ કરવા જઈ રહી છે નવો પ્રોજેક્ટ

Megha

Last Updated: 02:29 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીના દર્શન હવે સબમરીન દ્વારા થશે. કહેવાઈ રહ્યું છે કે દ્વારકામાં સબમરીન પ્રોજેક્ટ આવતા વર્ષે જન્માષ્ટમી અથવા દિવાળી પર શરૂ થઈ શકે છે

  • સમુદ્રમાં સમાઈ ગયેલ દ્વારકા હવે સબમરીન દ્વારા લોકો જોઈ શકશે. 
  • આવતા વર્ષે જન્માષ્ટમી અથવા દિવાળી પર શરૂ થઈ શકે છે પ્રોજેક્ટ.
  • સબમરીન લોકોને સમુદ્રની 300 ફૂટ નીચે લઈ જશે. 

ઉત્તરમાં બદ્રીનાથ (ઉત્તરાખંડ), દક્ષિણમાં રામેશ્વરમ્ (તમિલનાડુ), પૂર્વમાં જગન્નાથપુરી (ઓડિશા)ને પશ્ચિમમાં દ્વારકા (ગુજરાત) એમ ચાર સ્થળો ભારતના ચારધામ ગણાય છે. દરેક સ્થળનો પોતાનો ઇતિહાસ અને મહત્વ છે. દ્વારકામાં દર વર્ષે લાખો લોકો દર્શન કરવા આવે છે. 

દ્વારકાની સૌથી વધુ ચર્ચિત વાત એ છે, કે અહીં હજારો વર્ષ પહેલા શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા હતી, જે સમુદ્રમાં સમાઈ ગઈ છે અને તેના વિશે જાણવા માટે લોકો ઘણા ઉત્સુક રહે છે. હવે વાત એમ છે કે સરકાર દરિયામાં ડૂબી ગયેલ દ્વારકા જોવા માટે સબમરીન પ્રોજેક્ટ લાવી રહી છે. આ સાથે બેટ દ્વારકામાં સૌથી મોટો કેબલ બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે, જે જન્માષ્ટમીની આસપાસ શરૂ થઈ શકે છે.     

હાલ મળતી જાણકારી અનુસાર દ્વારકામાં સબમરીન પ્રોજેક્ટ આવતા વર્ષે જન્માષ્ટમી અથવા દિવાળી પર શરૂ થઈ શકે છે. જો કે હજુ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એક અહેવાલ મુજબ સબમરીન લોકોને સમુદ્રની 300 ફૂટ નીચે લઈ જશે. જ્યાં હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલ ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી લોકોને બતાવવામાં આવશે. 

રિપોર્ટ અનુસાર આ સબમરીન બેસીને દરિયામાં ડૂબી ગયેલ દ્વારકા જોવામાં 2 થી 2.5 કલાકનો સમય લાગી શકે છે અને કહેવાઈ રહ્યું છે કે તેનું ભાડું ઘણું ઊંચું હશે, પરંતુ સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર તેમાં સબસિડી જેવી છૂટ આપી શકે છે. રિપોર્ટ અનુસાર સબમરીનનું વજન લગભગ 35 ટન હશે. તેમાં એક સાથે 30 લોકો બેસી શકશે. જેમાં 2 ડાઇવર અને એક ગાઇડ હશે. 

સબમરીનમાં કોમ્યુનિકેશન સિસ્ટમ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી સુવિધાઓ પણ હશે. કહેવાય રહ્યું છે કે સબમરીનમાં માત્ર 24 મુસાફરો જ દર્શન મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કુબા ડ્રેસ આપવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ