બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Learn about the benefits of intermittent fasting and the harms of skipping meals

લાઇફસ્ટાઇલ / વજન ઘટાડવાની લ્હાયમાં ભૂખ્યું રહેવાની છે આદત? તો એલર્ટ રહેજો! નહીં તો હેલ્થને થશે આડઅસર

Pooja Khunti

Last Updated: 11:52 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર તો ઇન્ટરમિટન્ટ ઉપવાસના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. પરતું આ બધુ તમારા પર નિર્ભર કરે છે કે તમારે ક્યારે ખાવું છે અને ક્યારે પાચન તંત્રને આરામ આપવો છે.

આજે લોકો વજન ઓછું કરવા માટે અલગ-અલગ ઉપાય કરતાં હોય છે. કોઈ એક વ્યક્તિએ જે ઉપાયથી વજન ઓછું કર્યું હોય જરૂરી નથી કે તે ઉપાય અન્ય વ્યક્તિ માટે પણ એટલો જ ઉપયોગી થાય. કેટલીક વાર સોશિયલ મીડિયા પર અમુક વિડીયો પણ વાયરલ થતાં હોય છે, જેમાં કહેવામાં આવે છે કે તમારે 3-4 વાર ન ખાવું જોઈએ. તમારે દિવસમાં માત્ર 2 જ વાર ખાવું જોઈએ. જો તમે એક સમયનું ભોજન છોડવાનું વિચારી રહ્યા હોય તો તમારે રાત્રિ ભોજન છોડવું જોઈએ. જાણો ઇન્ટરમિટન્ટ ઉપવાસના ફાયદા અને ભોજન છોડવાથી થતાં નુકસાન વિશે. 

શું તમારા માટે ઇન્ટરમિટન્ટ ઉપવાસ યોગ્ય છે 
સોશિયલ મીડિયા પર તો ઇન્ટરમિટન્ટ ઉપવાસના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. પરતું આ બધુ તમારા પર નિર્ભર કરે છે કે તમારે ક્યારે ખાવું છે અને ક્યારે પાચન તંત્રને આરામ આપવો છે. ભારતમાં અઠવાડિયામાં એકવાર ઉપવાસ રાખવાની રીત ખૂબ જૂની છે. વિજ્ઞાન મુજબ જ્યારે તમે થોડા કલાકો સુધી નથી ખાતા ત્યારે તમારા મેટાબોલિઝમમાં બદલાવ જોવા મળે છે. જેના કારણે શરીરની ચરબી જલ્દીથી ઓછી થવા લાગે છે. અમુક અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે ઇન્ટરમિટન્ટ ઉપવાસ બળતરા અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે. 

તમારું વજન તપાસો 
ભોજન છોડતા પહેલા તમારું વજન તપાસો. જો તમારું વજન બરાબર હોય તો ભોજન છોડવાને કારણે તમને નુકસાન થઈ શકે છે. જે લોકોને ડાયાબિટીસ છે તેમને ભોજન છોડવાથી નુકસાન થઈ શકે છે. 

વાંચવા જેવું: વજન ઉતારવા કરો છો ભૂખ હડતાળ? તો ચેતી જજો, ખાવાનું છોડ્યા વગર આટલું કરો

લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી થતું નુકસાન 
જો કોઈ વ્યક્તિ થોડા સમય માટે ઉપવાસ કરે, ઇન્ટરમિટન્ટ ઉપવાસ કરે અથવા એક સમયનું ભોજન છોડી દે તો કોઈ ખાસ અસર નથી થતી. પરતું જો તમે લાંબા સમય સુધી ઉપવાસ કરો છો તો તમારું મેટાબોલિઝમ ઓછું થઈ જાય છે. જેના કારણે વજન ઓછું કરવામાં સમસ્યા થઈ શકે છે. 

ભોજન છોડવાની જગ્યાએ આ કામ કરો 
જ્યારે તમે જમવાનું છોડી દો છો ત્યારે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ થઈ જાય છે. તેથી વજન ઘટાડવા માટે ખાવા પર નિયંત્રણ રાખો, સ્વસ્થ ખોરાકનું સેવન કરો, વ્યાયામ કરો, ચિંતા ન કરો અને પૂરતી ઊંઘ લો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ