બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Arohi
Last Updated: 06:45 PM, 22 September 2022
દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. આ વખતે કરવા ચોથ 13 ઓક્ટોબરે છે. આ દિવસે પરણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. ઘણી અપરણીત યુવતીઓ પણ પરણીત મહિલાઓ સાથે વ્રત રાખે છે. જો કે, આ માટેના નિયમો અલગ છે.
અપરણીત યુવતીઓ આ રીતે તોડવો ઉપવાસ
અપરણીત યુવતીઓએ ચંદ્રને બદલે તારાઓને જોઈને ઉપવાસ તોડવો જોઈએ. આ દરમિયાન કરવાની જગ્યાએ તે પાણીથી ભરેલા કલશનો ઉપયોગ કરી શકે છે. કરવાનો ઉપયોગ પરણિત મહિલાઓ કરે છે.
લગ્ન નક્કી થયા હોય તેવી યુવતીઓ પણ કરી શકે છે વ્રત
કરવા ચોથ વ્રતના દિવસે પરણીત મહિલાઓ નિર્જલા વ્રત રાખે છે અને તેમના પતિની રક્ષા અને સૌભાગ્ય માટે પ્રાર્થના કરે છે. જો કે આ વ્રત પરણીત મહિલાઓ માટે માનવામાં આવે છે. પરંતુ જેમના લગ્ન નક્કી થયા છે આવી અપરણીત યુવતીઓ પણ આ વ્રત રાખી શકે છે.
અપરણીત યુવતીઓએ ન કરવો ચાયણીનો ઉપયોગ
કરવા ચોથ વ્રતના દિવસે પરણિત મહિલાઓ પૂજા દરમિયાન ચાયણીનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં કુંવારી છોકરીઓએ ચાયણીનો ઉપયોગ ન કરવો જોઈએ.
શંકર-પાર્વતીની પૂજા કરવી
કરવા ચોથના વ્રતના દિવસે અવિવાહિત કન્યાઓએ શંકર-પાર્વતીની પૂજા કરવી જોઈએ અને વ્રતની કથા સાંભળવી જોઈએ. પરિણીત સ્ત્રીઓ ચંદ્રની પૂજા કર્યા પછી ઉપવાસ તોડે છે એવામાં અવિવાહિત છોકરીઓ માટે ચંદ્રની પૂજા કરવાનું કોઈ વિધાન નથી.
નિર્જળા વ્રત ન કરવું
અપરિણીત છોકરીઓએ કરવા ચોથના દિવસે નિર્જળા વ્રત ન કરવું જોઈએ. અવિવાહિત યુવતીઓ નિરાહાર વ્રત કરી શકે છે. નિર્જળા વ્રતમાં સુહાગન મહિલાઓ પતિના હાથથી પાણી પીને પારણા કરે છે. એવામાં કુંવારી યુવતીઓને નિર્જળા વ્રત ન કરવા જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો