બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Kishor
Last Updated: 06:39 PM, 3 August 2023
કારેલા એક એવી સબ્જી છે જે મોટાભાગના લોકોને પસંદ હોતી નથી અને તેમનું નામ લેતાની સાથે જ મોઢામાં કડવાટનો અનુભવ થાય છે. પરંતુ સ્વાદમાં કડવી લાગતી આ સબજી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે કારેલામાં ખૂબ ઓછી કેલેરી અને સૌથી વધુ ફાઇબરનું પ્રમાણ હોવાથી તે ડાયાબિટીસના દર્દીઓ અને ખાસ સગર્ભા મહિલાઓ માટે આવકારદાયક સાબિત થાય છે.
પોષકતત્વોનો ખજાનો ગણાતા કારેલા
પોષકતત્વોનો ખજાનો ગણાતા 100 ગ્રામ કારેલામાં દાવા અનુસાર 17-kcal કેલરી હોય છે. વધુમાં 3.7 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 2.8 ગ્રામ ફાઇબર હોય છે. તો 10 ગ્રામ પ્રોટીન અને માત્ર 0.2 ગ્રામ જ ચરબી હોય છે, ઉપરાંત 84 મિલિગ્રામ વિટામીન સી , 471 IU વિટામીન પણ હોય છે. પોટેશિયમ 296 એમજી, કેલ્શિયમ 19 એમજી, આયર્ન 0.38 એમજી અને મેગ્નેશિયમ 17 મિલિગ્રામ હોય છે. જે શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે. 100 ગ્રામ કારેલાનું સેવન કરવાથી તમે વજન ઘટાડી શકો છો અને સુગરને પણ કંટ્રોલમાં લઇ શકાય છે.
બ્લડ સુગર કંટ્રોલમાં આવે છે
100 ગ્રામ કારેલાનું સેવન કરવાથી બ્લડ સુગર આસાનીથી કંટ્રોલમાં આવી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલાને આશીર્વાદરૂપ ગણવામાં આવે છે. કારણ કે તેમાં ચારેન્ટિન અને પોલિપેપ્ટાઇડ-પી જેવા તત્વો હોય છે, જે ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં વધારો કરે છે.
વધતા વજનને પણ કરી શકે છે કંટ્રોલ
સૌથી ઓછી કેલેરી અને વધુ ફાઇબરથી ભરેલા કારેલા વજનને પણ કંટ્રોલમાં કરી શકે છે જે વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ફાઇબરના સેવાનથી ભૂખ સંતોષી શકાય છે. જેથી તે ખૂબ જ ઉપયોગી છે.
લિવર પણ સ્વસ્થ રાખે છે
સર્વેમાં જાણવા મળતા પરિણામ મુજબ કારેલાના સેવનથી લિવર પણ સ્વસ્થ રહે છે અને કારેલામાં ઓક્સિડેવિટ તત્વ હોય છે જે તણાવ દૂર કરી લિવરને કાર્ય કરવામાં મદદરૂપ થાય છે. બીજી બાજુ વિટામીન c થી ભરપૂર કારેલા ઇમ્યુનિટી માટે પણ ખૂબ આવકારદાયક ગણવામાં આવે છે. તેનાથી બીમારીઓથી બચવામા મદદ મળે છે અથવા ઇન્ફેક્શનનો ખતરો પણ ટળી જતો હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો