બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:24 PM, 20 February 2024
કમલનાથ અને તેમના દીકરા સાંસદ નકુલનાથ હવે કોંગ્રેસમાં જ રહેશે. થોડા દિવસ પહેલા ચર્ચા કરવામાં આવી રહી હતી કે, કમલનાથ કોંગ્રેસ છોડીને ભાજપમાં શામેલ તઈ શકે છે. કમલનાથ છિંદવાડા જવાનો પ્લાન કેન્સલ કરીને દિલ્હી જવા માટે રવાના થયા ત્યારે આ અફવા વધુ ફેલાઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર કમલનાથે રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કર્યા પછી કોંગ્રેસને બાય બાય કહેવાનો પ્લાન કેન્સલ કર્યો.
ADVERTISEMENT
કમલનાથે ભાજપમાં શામેલ થવાની અટકળો વચ્ચે રાહુલ ગાંધીને ફોન કર્યો હતો. રાહુલ ગાંધીએ કમલનાથ અને નકુલનાથ સાથે વાત કરી હતી. રાહુલ ગાંધીએ કમલનાથને કહ્યું હતું કે, પાર્ટીએ તેમને બધુ જ આપ્યું છે, આગળ પણ તેમનું ધ્યાન રાખવામાં આવશે. આ વાત પછી કમલનાથે કોંગ્રેસમાંથી એક્ઝિટ થવાનો પ્લાન કેન્સલ કર્યો.
સમર્થકોએ કર્યો દાવો
કોંગ્રેસના અન્ય નેતા અને કમલનાથના સમર્થકોએ જણાવ્યું હતું કે, પાર્ટીમાં સતત તેમને અવગણવામાં આવી રહ્યા છે. જેથી તેઓ આગામી દિવસોમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. કમલનાથે દિલ્હી જતા પહેલા છિંદવાડામાં પાર્ટી નેતાઓ સાથે સીક્રેટ મીટિંગ કરી હતી. સૂત્રો અનુસાર આ બેઠકમાં નેતાઓએ તેમને ભાજપ જોઈન કરવાની સલાહ આપી હતી. તાજેતરમાં જ કમલનાથ અને નકુલનાથે ભાજપ વિરુદ્ધ અનેક નિવેદન આપ્યા હતા, ત્યારપછી ભાજપ જોઈન કરવાની અટકળો કરવામાં આવી રહી હતી.
ADVERTISEMENT
સજ્જન સિંહ વર્માએ કર્યું ખંડન
કમલનાથ દિલ્હી ગયા પછી લગ અલગ અટકળો કરવામાં આવી રહી હતી. અનેક સમર્થકોએ સોશિયલ મીડિયા પેજમાં આવી પોસ્ટ કરી હતી, જે પછી સસ્પેન્સ ક્રિએટ થયું હતું કે રાજ્યમાં રાજકીય પાસાઓ પલટાઈ શકે છે. કમલનાથ સાથે મુલાકાત કરવા માટે સજ્જન સિંહ વર્મા દિલ્હી પહોંચ્યા હતા. આ મુલાકાત પછી તેમણે જણાવ્યું હતું કે, કમલનાથ કોંગ્રેસમાં જ રહેશે. જીતૂ પટવારીએ પણ રવિવારે દાવો કર્યો હતો કે, કમલનાથ સાથે ફોન પર વાત થઈ છે, તેમણે કોંગ્રેસ છોડવાની વાતને અફવા ગણાવી છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.