બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / jyotish shastra do not forget to do this work while worshiping

જ્યોતિષ શાસ્ત્ર / સાંજના સમયે પૂજા કરતી વેળાએ ભૂલથી પણ ન કરતા આ કાર્ય, નહીં તો દેવતા થઇ જશે નારાજ

Arohi

Last Updated: 12:43 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jyotish Shastra: સનાતન ધર્મમાં પૂજા-આરાધના કરવાનું ખાસ મહત્વ છે. કોઈ પણ પૂજા કરતા પહેલા તેમના નિયમોને જરૂર જાણી લેવા જોઈએ. દરરોજ પૂજા કરવાના ખાસ નિયમો છે. જાણો તેના વિશે.

  • સનાતન ધર્મમાં પૂજા પાઠનું ખાસ મહત્વ 
  • સાંજની પૂજામાં ખાસ રાખો આ ધ્યાન 
  • નહીં તો દેવતા થઇ જશે નારાજ

સનાતન ધર્મમાં પૂજા પાઠનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે કોઈ પણ શુભ અથવા માંગલિક કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની વિધિ વિધાન પૂર્વક પૂજા આરાધના કરવામાં આવે છે. 

સનાતન ધર્મમાં ત્રિકાળ સંધ્યા કરવાનો પણ નિયમ છે. એટલે કે સવારની પૂજા બપોરની પૂજા અને સાંજની પૂજા. આ સમય પૂજા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. એટલે કે સંધ્યાના સમયે પૂજા આરાધના કરવાથી અનેક ઘણા લાભની પ્રાપ્તિ થાય છે. 

સાંજની પૂજા છે ખૂબ જ ખાસ 
ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શંકર અને માતા પાર્વતી સંધ્યા કાળમાં ધરતી પર વિચરણ કરે છે. માટે સાંજના સમયે પૂજા આરાધના કરતી વખતે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેથી ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. 

પૂજા-આરાધના કરવાનું મહત્વ 
સનાતન ધર્મમાં પૂજા-આરાધના કરવાનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. કોઈ પણ પૂજા આરાધના કરવા પહેલા તેમના નિયમોને જરૂર જાણી લેવા જોઈએ. આ પૂજા આરાધના કરવાનું એક વિધાન છે. એક નિયમ છે. જેનું દરેક લોકોએ પાલન કરતા રહેવું જોઈએ. વિધિ વિધાન પૂર્વક પૂજા આરાધના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. માતા રાણી પ્રસન્ન થાય છે. 

જ્યાં સવારના સમયે ભગવાનની પૂજા આરાધના કરતી વખત ફૂલ ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો બીજી તરફ સંધ્યા કાળમાં પૂજા આરાધના માટે ફૂલ ન તોડવા જોઈએ. શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવે છે. 

શંખ અને ઘંટ વગાડવાના નિયમ 
સવારની પૂજામાં શંખ અને ઘંટ વગાડવો જોઈએ. પરંતુ સાંજની પૂજા આરાધના કરતી વખતે શંખ અને ઘંટ ન વગાડવો જોઈએ. ફક્ત આરતી કરતી વખતે જ ઘંટ વગાડવો જોઈએ. માન્યતા છે કે સૂર્યાસ્ત બાદ બધા દેવી દેવતા સુવા જતા રહે છે અને શંખના અવાજથી તેના આરામમાં ખલેલ પહોંચે છે. 

આ નિયમો જાણવા પણ જરૂરી 
શાસ્ત્રો અનુસાર સવારના સમયે સૂર્ય દેવની પૂજા આરાધના કરવામાં આવે છે ત્યાં જ સૂર્યાસ્તના બાદ ગમે ત્યારે સૂર્ય દેવની પૂજા આરાધના ન કરવી જોઈએ. તેના ઉપરાંત સાંજની પૂજા આરાધનામાં ક્યારેય પણ તુલસીનો પ્રયોગ ન કરવો જોઈએ. સૂર્યાસ્ત બાદ તુલસીના પાન ન તોડવા જોઈએ. સાંજના સમયે ભગવાનની પૂજામાં હંમેશા બે દિવા કરવા જોઈએ. જેમાં એક ઘી અને એક તેલનો હોવો શુભ માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ