બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Jitu vaghani made announcement regarding various questions of teachers and Education, HMAT, ATC

BIG NEWS / ગુજરાતના શિક્ષકો માટે આજે દિવાળી જેવો દિવસ! રાજ્ય સરકારે કર્યા 5 મોટા એલાન, જાણો શું થશે લાભ

Vishnu

Last Updated: 06:53 PM, 17 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સળંગ નોકરી, HMATની ભરતી, ATCનો લાભ, શરતી બઢતી, મહેકમ વધારા મામલે શિક્ષણ વિભાગના મોટા નિર્ણય

  • શિક્ષકોના વિવિધ પ્રશ્નો અંગે મોટા નિર્ણયો
  • સળંગ નોકરીનો મહત્વનો પ્રશ્નનો ઉકેલ 
  • HMATની ભરતીની જાહેરાત ટૂંક સમયમાં થશે'
  • આચાર્યોને ATCનો લાભ
  • નોન ટિચિંગ સ્ટાફને શરતી બઢતી 
  • એક-એક વર્ગની સ્કૂલોમાં મહેકમ વધારાનો નિર્ણય

આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ વિભાગે લીધેલા મોટા નિર્ણયોને કઈ પ્રેસ સંબોધન કર્યું હતું જેમાં શિક્ષકો અને શિક્ષણના પડતર મુદ્દાઓને લઈ મોટી જાહેરાતો કરવામા આવી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે શિક્ષકોના વિવિધ પ્રશ્નો પર અનેક બેઠકો થઇ, CM ભૂપેન્દ્ર પટેલ સાથે પણ બેઠક થઇ હતી અને શિક્ષક સંઘો સાથે પણ બેઠક કરવામાં આવ્યું હતું જે બાદ નિષ્કર્ષ કાઢી ઘણા નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા આજે લેવામાં આવ્યા છે.

સળંગ નોકરીમાં વિસંગતતા ઉકેલાઈ
જોબ અને આર્થિક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હોવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે ફિક્સ પેના ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોના સળંગ નોકરીનો મહત્વના પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો છે. શિક્ષક છે એ આચાર્ય થાય તો સળંગ નોકરી ન ગણાતી તે વિસંગતતા હતી જેને દૂર કરવામાં આવી છે.

એક-એક વર્ગની સ્કૂલોમાં મહેકમ વધારાનો નિર્ણય
વધુમાં વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આજે શિક્ષકો માટે દિવાળી જેવો દિવસ છે. કારણ કે પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ જૂની પ્રણાલી પ્રમાણે રિવ્યુ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં સ્કૂલના સમય ઉપરાંત ભણાવવાની ખાતરી આપી છે. હવે એક-એક વર્ગની સ્કૂલોમાં મહેકમ વધારાનો નિર્ણય લેવાયો, આવી શાળાઓમાં વધુ એક શિક્ષક ફાળવાશે. આ નિર્ણય બાદ આવી શાળાઓમાં કુલ 4 શિક્ષકોનું મહેકમ મળશે. 

HMATની ભરતીની જાહેરાત થશે
આ બાદ આચાર્યો માટે પણ ATCનો લાભ અપાશે તેવી જાહેરાત કરવામાં આવી છે તે ઉપરાંત HMATની ભરતીની જાહેરાત ટૂંક સમયમાં થશે તેવો ખાતરી પણ જીતુ વાઘાણી દ્વારા આપવામાં આવી છે. તેમણે એ પણ ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં જ ભરતી પૂર્ણ કરવામાં આવશે.

સાતમા પગાર પંચના બાકી હપ્તા, શરતી બઢતી આપવાનો નિર્ણય
નોન ટિચિંગ સ્ટાફને શરતી બઢતી અપાશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો હોવાની માહિતી વાઘાણી દ્વારા આપવામાં આવી છે. સાતમા પગાર પંચના બાકી હપ્તાની ચૂકવણી ઝડપી કરાશે તેવી બાંહેધરી પણ આપી છે. છેલ્લે તેઓએ તમામ જાહેરાતો વિશે કહ્યું હતું કે શિક્ષકોની વર્ષોથી જે માંગણીઓ હતી તે પૂર્ણ થઇ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

ATC Department of Education HMAT Jitu Vaghani Teachers gujarat આચાર્ય ગુજરાત જીતુ વાઘાણી મહેકમ શરતી બઢતી શિક્ષક શિક્ષણ શિક્ષણ વિભાગ સળંગ નોકરી jitu vaghani
Vishnu
Vishnu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ