બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Khyati
Last Updated: 05:54 PM, 2 April 2022
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાનો પરચમ બતાવ્યા બાદ હવે ગુજરાત પર નજર મંડરાઇ રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવનાર છે જેને લઇને આમ આદમી પાર્ટી પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. ગુજરાતની રાજનીતિમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટ્વિટર વૉર તો ચાલી જ રહ્યુ છે પરંતુ હવે ચૂંટણી ટાણે જનતાનું દિલ જીતવાનો આપ દ્વારા ફુલ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આપના નેતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે છે.અમદાવાદમાં નિકોલ ખોડિયાર મંદિરથી વિજય ચોક સુધી રૉડ શો યોજ્યો. ત્યારે ગુજરાતમાં આપના બંને નેતાઓની મુલાકાત અંગે ભાજપના નેતા જીતુ વાઘાણી દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો.
'મેયર કક્ષાના મુખ્યમંત્રી ગુજરાત આવ્યા'
ભાજપના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ અંગે કટાક્ષ કરતા જણાવ્યુ કે ગુજરાત દરેક અતિથીને આવકારે છે. ગુજરાતની જનતા બીજેપીને પ્રેમ આપશે એ નક્કી છે. પ્રવાસીઓ ગુજરાત અને આવે અને જાય છે. આ તો મેયર કક્ષાના મુખ્યમંત્રી ગુજરાત આવ્યા છે. મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીના એંધાણ હવે ખૂબ જ નજીક જોવા મળી રહ્યા છે ત્યારે એક પછી એક રોડ શો પોલિટીકલ પાર્ટીઓ પણ કરી રહી છે પીએમ મોદી રોડ શો બાદ આપ નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબમાં ભગવંત માને પણ રોડ શો કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.
ભાજપમાં બોખલાહટ અને ડર છેઃ AAP
તો જીતુ વાઘાણીના નિવેદન અંગે AAPએ આકરા પ્રહાર કર્યા હતા. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતું કે જીતુ વાઘાણી નિમ્નકક્ષાની રાજનીતિ કરી રહ્યાં છે, ભાજપમાં બોખલાહટ અને ડર છે.
કોઇને ઉતારી પાડવું એ ગુજરાતની સંસ્કૃતિ નથી.
કેજરીવાલ અને ભગવંત માન બે દિવસ ગુજરાતની મુલાકાતે
ગુજરાત પ્રવાસે આવેલ આમ આદમી પાર્ટીના પીઢ નેતાઓ ગત મોડી રાતે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં બંન્ને નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.તે ઉપરાંત તેમણે હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ પત્રકાર પરિષદને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે, રાજનીતિની વાતો અમે આશ્રમ બહાર કરીશું. સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે, જેટલી વખત ગાંધી આશ્રમની મુલાકાતે આવું છું તેટલી વખત શાંતિ પ્રાપ્ત થાય છે.
જાણો 3 એપ્રિલનો કાર્યક્રમ:
ગુજરાત માટે AAPની કેવી કવાયત?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો