બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / jahangirpuri violence reached sc demand to constitute committee

BIG NEWS / જહાંગીરપુરી હિંસાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ: નિષ્પક્ષ તપાસ માટે કમિટી બનાવાની માગ, 20 લોકોની થઈ છે ધરપકડ

Pravin

Last Updated: 12:02 PM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિના દિવસે થયેલી કથિત હિંસાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.

  • દિલ્હીની જહાંગીરપુરી હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
  • સુપ્રીમ કોર્ટમાં તપાસ માટે ટીમ બનાવાની માગ
  • આ હિંસામાં 20 લોકોની થઈ છે ધરપકડ

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિના દિવસે થયેલી કથિત હિંસાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્ના સામે દિલ્હીના એક વકીલ દ્વારા જાહેરહીતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કોર્ટે આ કેસની તપાસ માટે એક ટીમ બનાવાની માગ કરી છે. જાહેરહીત અરજીમાં કેસની જડ સુધી જવા માટે એનઆઈએને તપાસ સોંપવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. હાલમાં આ સમયે દિલ્હીની ક્રાઈમ બ્રાંચ આ મામલે તપાસ કરી રહી છે. દાખલ કરવામાં આવેલી અરજીના માધ્યમથી ચીફ જસ્ટિસની આગેવાનીમાં એક તપાસ ટીમ બનાવાની માગ કરવામાં આવી છે. જે આ સમગ્ર પ્રકરણમાં તપાસ કરશે.

હિંસામાં સંડોવાયેલા 20 લોકોની ધરપકડ

આ બબાલને લઈને અત્યાર સુધીમાં દિલ્હીમાં થયેલી હિંસામાં 20થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી બે સગીર પણ સામેલ છે. દિલ્હીના જહાંગીરપુરી માં થયેલી હિંસાના મુખ્ય આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો છે. આરોપીએ કથિત હિંસા મામલે પોતાની સંડોવણીને સ્વિકારી છે. સુનાવણી દરમિયાન રોહિણી કોર્ટ માટે આરોપી અંસારે વારંવાર કહ્યું કે, હું દોષિત છું. દિલ્હીની રોહિણી કોર્ટે જહાંગીરપુરી હિંસાના મુખ્ય આરોપી અંસાર અને અસલમને એક દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલી દીધા છે. બાકીના 12 આરોપીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. જહાંગીરપુરી હિંસામાં કેટલાય પોલીસકર્મી અને સ્થાનિક લોકો ઘાયલ થયા છે. આ મામલાને તાત્કાલિક ધોરણે ક્રાઈમ બ્રાંચને સોંપી દેવામાં આવ્યો છે. 

શોભાયાત્રા દરમિયાન ષડયંત્ર રચાયું હોવાનો આરોપ

સુનવાણી દરમિયાન પોલીસે આરોપ લગાવ્યો હતો કે, મુખ્ય આરોપીઓએ 15 એપ્રિલે શોભાયાત્રા દરમિયાન ષડયંત્ર રચ્યું હતું. પોલીસે કહ્યું કે, અમે સીસીટીવી ફુટેઝ જોઈને આ મામલામાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ