બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / રાજકોટ / Investigation started in the case of beating and electrocuting a student in Jasdan
Malay
Last Updated: 03:30 PM, 8 April 2023
જસદણના આંબરડી ગામની જીવન શાળામાં સફાઈ બાબતે વિદ્યાર્થી સાથે ગૃહપતિએ અમાનવીય વર્તન કરીને વીજ શોક આપ્યાની ચકચારી ઘટના બહાર આવતા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તાલુકાના અધિકારીને સ્થળ જઈ જાત તપાસ કરવાની સૂચના આપવામાં આવતા આજે તાલુકા શિક્ષણ અધિકારીની ટીમ આંબરડી ગામે પહોંચી છે.
શાળામાં પહોંચી તપાસ ટીમ
તાલુકા શિક્ષણ અધિકારીની ટીમ જીવન શાળામાં તપાસ અર્થે પહોંચી છે. ટીમ દ્વારા જીવન શાળાના ગૃહપતિ અને શિક્ષકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીને તાલિબાની સજા આપવા મામલે સમાજ સુરક્ષા પણ શાળાની તપાસ કરે તેવી શક્યતા છે.
શું છે સમગ્ર મામલો?
જસદણના આંબરડીથી શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. વિદ્યાર્થીએ સફાઈ કરવાની મનાઈ કરતા ગૃહપતિએ વીજકરંટ આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આંબરડી ગામમાં આવેલી જીવન શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા ધામક જીલાભાઈ મેમરીયા નામનો છાત્ર ગઈકાલે હોસ્ટેલમાં હતો. એ સમયે ગૃહપતિ દ્વારા ધામકને બગીચો સાફ કરવા કહેવામાં આવ્યું હતું. પરંતુ વિદ્યાર્થીએ એવું કહ્યું હતું કે, 'હું એક બે દિવસ બાદ બગીચો સાફ કરી લઈશ.' એ સાંભળીને ગૃહપતિ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે બાળકને રૂમમાં લઈ જઈએ વીજ શોક આપ્યો હતો.
પરીવારજનોએ કર્યો આ આક્ષેપ
વિદ્યાર્થીએ જણાવ્યું કે, રૂમમાં ગયા બાદ વીજળી તેના શરીરને સ્પર્શી હતી અને એ બાદ શું થયું એ તેને કહી જ યાદ નથી. હાલ બાળકની રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ બાળકની હાલત ગંભીર હોવાનું માલૂમ પડી રહ્યું છે. પરીવારજનોએ આક્ષેપ છે કે, સફાઈની ના પાડતા તાલીબાની સજા અપાઈ છે. હોસ્ટેલના સંચાલકો કહે છે કે, આંબલી ખાવા ચડ્યો હોવાથી પડતા ઇલેટ્રીક કરંટ લાગ્યો છે. પરીવારજનો આ બચાવને નકાર્યો છે. જે ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં સત્ય શું છે તે તપાસનો વિષય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime