બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Priyakant
Last Updated: 12:06 PM, 19 June 2023
બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં કુખ્યાત ખાલિસ્તાની આતંકવાદી અને 10 લાખ રૂપિયાનું ઈનામ ધરાવનાર હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર નિજ્જરને ગુરુદ્વારા પાસેના પાર્કિંગમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર. જે સમયે નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તે સમયે તેની સાથે વધુ બે લોકો હતા. હાલ તપાસ એજન્સીઓ હુમલાખોરોની ઓળખ મેળવવાની કવાયતમાં છે અને મૃતકની સત્તાવાર ઓળખની પ્રક્રિયા પણ ચાલી રહી છે.
ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર ઘણા વર્ષોથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને વેગ આપતો હતો. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, નિજ્જર છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્સીઓ માટે વધુ મોટો માથાનો દુખાવો બની ગયો હતો. કારણ કે તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સને વિદેશમાં લોજિસ્ટિક્સ અને પૈસા આપવાનું શરૂ કર્યું હતું.
ભારત સરકારે નિજ્જરને જાહેર કર્યો હતો આતંકવાદી
થોડા દિવસો પહેલા ભારત સરકારે હરદીપ સિંહ નિજ્જરને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યો હતો. થોડા મહિના પહેલા નિજ્જરના બે સહયોગીઓની ફિલિપાઈન્સ અને મલેશિયામાંથી ધરપકડ કરવામાં આવી હતી. હરદીપ સિંહ નિજ્જર ઉ.વ. પિયારા સિંહ મૂળ VPO ભરસિંહપુર, થાણા, ફિલૌર, જલંધર જિલ્લાના રહેવાસી છે.
નિજ્જર ભારતમાં આતંકી હુમલાની બનાવી રહ્યો હતો યોજના
નિજ્જર લાંબા સમયથી કેનેડામાં રહેતો હતો. નિજ્જર ભારતમાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો. હરદીપ સિંહ નિજ્જર આવી ઘણી પ્રવૃત્તિઓમાં સામેલ છે, જે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે નુકસાનકારક છે. તે શીખ યુવાનોને હથિયારો અને દારૂગોળો ખરીદવા અને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે નાણાં મેળવવાની તાલીમ આપતો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો